Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 88-89.

< Previous Page   Next Page >


Page 214 of 315
PDF/HTML Page 238 of 339

 

૨૨૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तत्र परिमितकाले तत्संहारलक्षणनियमं दर्शयन्नाह

भोजनवाहनशयनस्नानपवित्राङ्गरागकुसुमेषु
ताम्बूलवसनभूषणमन्मथसंगीतगीतेषु ।।८८।।
अद्य दिवा रजनी वा पक्षो मासस्तथर्त्तुरयनं वा
इति कालपरिच्छित्त्या प्रत्याख्यानं भवेन्नियमः ।।८९।।

युगलं नियमो भवेत् किं तत् ? प्रत्याख्यानं कया ? कालपरिच्छित्या तामेव कालपरिच्छितिं दर्शयन्नाहअद्येत्यादि, अद्येति प्रवर्तमानघटिकाप्रहरादिलक्षणकालपरिच्छित्या

વ્રતીને ભક્ષ્ય વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ હોય છે અને અભક્ષ્ય વસ્તુઓનો યમરૂપ ત્યાગ હોય છે. (વધુ માટે જુઓ શ્લોક ૮૮૮૯નો ભાવાર્થ અને વિશેષ). ૮૭.

તેમાં નિયત કાળના વિષયમાં, તેનો (ભોગોપભોગનો) ત્યાગરૂપ નિયમ દર્શાવીને કહે છે.

ભોગોપભોગપરિમાણ વ્રતમાં નિયમની વિધિા
શ્લોક ૮૮૮૯

અન્વયાર્થ :[भोजनवाहनशयनस्नानपवित्राङ्गरागकुसुमेषु ] ભોજન, વાહન, શય્યા (પથારી), સ્નાન, પવિત્ર અંગ વિલેપન, પુષ્પો [ताम्बूलवसनभूषणमन्मथसंगीतगीतेषु ] પાન, વસ્ત્ર, અલંકાર, કામભોગ, સંગીત અને ગીતના વિષયમાં, [अद्य ] આજ, [दिवा ] એક દિવસ, [रजनी ] એક રાત, [पक्षः ] એક પખવાડિયું, [मासः ] એક માસ [ऋतुः ] બે માસ [वा ] અથવા [अयनं ] છ માસ [इति ] એ પ્રમાણે [कालपरिच्छित्त्या ] કાળ વિભાગથી (કાળની મર્યાદાથી) [प्रत्याख्यानं ] ત્યાગ કરવો તે (ભોગોપભોગપરિમાણ વ્રતમાં) [नियमः ] નિયમ [भवेत् ] છે.

ટીકા :भोजनेत्यादि’ ભોજન, ઘોડા આદિરૂપ વાહન, પલંગ આદિરૂપ શયન, સ્નાન, કેસરાદિના વિલેપનરૂપ પવિત્ર અંગરાગ; આ પવિત્ર અંગરાગ અંજન અને તિલકાદિનું ઉપલક્ષણ છે. અંગરાગ સાથે પવિત્ર વિશેષણ આપવામાં આવ્યું છે તે દોષને દૂર કરવા માટે આપવામાં આવ્યું છે. તેનાથી સદોષ ઔષધ આદિ અંગરાગનું નિરાકરણ