Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 4 samyagdarshannu lakshaN.

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 339

 

૧૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तत्र सम्यग्दर्शनस्वरूपं व्याख्यातुमाह

श्रद्धानं परमार्थानामाप्तागमतपोभृताम्
त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ।।।।

सम्यग्दर्शनं भवति किं ? ‘श्रद्धानं’ रुचिः केषां ? ‘आप्तागमतपोभृतां’

શાસ્ત્રોમાં નીચે પ્રમાણે ‘ધર્મ’નો અર્થ કરેલો જોવામાં આવે છે

૧. નિશ્ચય ધાર્મ :જે સ્વાશ્રિત છે અને સાક્ષાત્ મોક્ષનું કારણ છે.

૨. વ્યવહાર ધાર્મ :રૂઢિથી કહેવાતો શુભરાગરૂપ ધર્મ તે પરાશ્રિત છે અને સંસારનું કારણ છે.

૩. નિશ્ચય સાથે વ્યવહાર ધાર્મ :જ્યાં અંશે આત્મિક શુદ્ધિ પ્રગટી હોય છે તેનાથી સંવર - નિર્જરા થાય છે અને અંશે અશુદ્ધિ હોય છે તેનાથી આસ્રવ અને બંધ થાય છે. ચોથા ગુણસ્થાનથી અર્થાત્ અવિરત સમ્યગ્દ્રષ્ટિથી આ ધર્મની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં કેટલાક ઠેકાણે આ ધર્મને જ મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એકલા વ્યવહાર ધર્મને નહિ.

ધર્મના અનેક અર્થો થાય છે, માટે પૂર્વાપર જેવો સંબંધ હોય તેવો તેનો અર્થ વિચારવો. કહ્યું છે કે

‘‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તેહ’’ ૩. તેમાં સમ્યગ્દર્શનના સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં કહે છે

(સમ્યગ્દર્શનનું લક્ષણ)
શ્લોક ૪

અન્વયાર્થ :[परमार्थानाम् ] પરમાર્થભૂત (સાચા) [आप्तागमतपोभृताम् ] દેવ - શાસ્ત્ર - તપસ્વીનું [त्रिमूढापोढम् ] ત્રણ મૂઢતા રહિત [अष्टाङ्गम् ] આઠ અંગ સહિત અને [अस्मयम् ] આઠ મદ રહિત [श्रद्धानं ] શ્રદ્ધાન કરવું તે [सम्यग्दर्शनम् ] સમ્યગ્દર્શન છે.

ટીકા :आप्तागमतपोभृतां सम्यग्दर्शनम्’ આપ્તઆગમ - તપસ્વીનું જે સ્વરૂપ