૨૩૦ ]
રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
૪
શિક્ષાવ્રતાધિાકાર
साम्प्रतं शिक्षाव्रतस्वरूपप्ररूपणार्थमाह —
देशावकाशिकं वा सामयिकं प्रोषधोपवासो वा ।
वैयावृत्यं शिक्षाव्रतानि चत्वारि शिष्टानि ।।९१।।
शिष्टानि प्रतिपादितानि । कानि ? शिक्षाव्रतानि । कति ? चत्वारि । कस्मात् ?
હવે શિક્ષાવ્રતના સ્વરૂપની પ્રરૂપણા માટે કહે છે —
શિક્ષાવ્રતના પ્રકાર૧૧
૧૧
૧શ્લોક ૯૧
૧૧
૧શ્લોક ૯૧
અન્વયાર્થ : — [देशावकाशिकम् ] દેશાવકાશિક, [सामयिकम् ] સામાયિક, [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ [वा ] અને [वैयावृत्यम् ] વૈયાવૃત્ય — એ [चत्वारि ] ચાર [शिक्षाव्रतानि ] શિક્ષાવ્રતો [शिष्टानि ] કહેવામાં આવ્યાં છે.
ટીકા : — ‘शिष्टानि’ કહેવામાં આવ્યાં છે. શું? ‘शिक्षाव्रतानि’ શિક્ષાવ્રતો. કેટલાં? ચાર. શા કારણે? કારણ કે દેશાવકાશિક ઇત્યાદિ ચાર પ્રકારે છે. ૧. ‘તત્ત્વાર્થસૂત્ર’ અને ‘પુરુષાર્થસિદ્ધિ – ઉપાય’ આદિ ગ્રંથોમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત નીચે
પ્રમાણે આપેલાં છે —
ગુણવ્રત — ૧. દિગ્વ્રત, ૨. દેશવ્રત, ૩. અનર્થદંડવ્રત.
શિક્ષાવ્રત — ૧. સામાયિક, ૨. પ્રોષધોપવાસ, ૩. ભોગોપભોગપરિમાણ અને ૪. અતિથિસંવિભાગ-
વ્રત (વૈયાવૃત).
રત્નકરણ્ડ શ્રાવકાચારમાં દેશવ્રતને શિક્ષાવ્રતમાં લીધું છે અને ભોગોપભોગપરિમાણને ગુણવ્રતમાં
લીધું છે.