Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 221 of 315
PDF/HTML Page 245 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૩૧

देशावकाशिकमित्यादिचतुःप्रकारसद्भावात् वाशब्दोऽत्र परस्परप्रकारसमुच्चये देशावकाशिकादीनां लक्षणं स्वयमेवाग्रे ग्रन्थकारः करिष्यति ।।९१।।

तत्र देशावकाशिकस्य तावल्लक्षणं

देशावकाशिकं स्यात्कालपरिच्छेदनेन देशस्य
प्रत्यहमणुव्रतानां प्रतिसंहारो विशालस्य ।।९२।।

देशावकाशिकं देशे मर्यादीकृतदेशमध्येऽपि स्तोकप्रदेशेऽवकाशो नियतकालमवस्थानं सोऽस्यास्तीति देशावकाशिकं शिक्षाव्रतं स्यात् कोऽसौ ? प्रतिसंहारो व्यावृत्तिः कस्य ? देशस्य कथंभूतस्य ? विशालस्य बहोः केन ? कालपरिच्छेदनेन दिवसादिकालमर्यादया

અહીં वा’ શબ્દ પરસ્પર પ્રકારના સમુચ્ચયના અર્થમાં છે. દેશાવકાશિક આદિનું લક્ષણ ગ્રંથકાર સ્વયં આગળ કરશે.

ભાવાર્થ :જેનાથી મુનિવ્રત પાળવાની શિક્ષા મળે તેને શિક્ષાવ્રત કહે છે. તેના ચાર પ્રકાર છે

૧. દેશાવકાશિક, ૨. સામાયિક, ૩. પ્રોષધોપવાસ અને ૪. વૈયાવૃત્ય. ૯૧. તેમાં પ્રથમ દેશાવકાશિક (શિક્ષાવ્રત)નું લક્ષણ કહે છે

દેશાવકાશિક શિક્ષાવ્રતનું લક્ષણ
શ્લોક ૯૨

અન્વયાર્થ :[प्रत्यहम् ] દરરોજ [कालपरिच्छेदनेन ] કાળના માપથી (અર્થાત્ નિયત કાળસુધી) મર્યાદા કરીને [विशालस्य देशस्य ] (દિગ્વ્રતમાં મર્યાદિત કરેલા) વિશાલ ક્ષેત્રનું [प्रतिसंहारः ] સંકોચવુંઘટાડવું તે [देशावकाशिकं ] દેશાવકાશિક શિક્ષાવ્રત [स्यात् ] છે. [अणुव्रतानाम् ] આ વ્રત અણુવ્રતના ધારકોનેશ્રાવકોને હોય છે.

ટીકા :देशावकाशिकं’ (દિગ્વ્રતમાં) મર્યાદિત કરેલા ક્ષેત્રની અંદર પણ (વધારે મર્યાદા કરીને) થોડા ક્ષેત્રમાં નિયત કાળ સુધી રહેવું તે દેશાવકાશ છે; આ દેશાવકાશ જે વ્રતનું પ્રયોજન છે તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. શું તે? विशालस्य देशस्य प्रत्यहं कालपरिच्छेदनेन प्रतिसंहारो’ દિગ્વ્રત નામના ગુણવ્રતમાં જીવનપર્યન્ત જે વિશાળ ક્ષેત્ર १. परस्परसमुचच्ये घ०