Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 223 of 315
PDF/HTML Page 247 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૩૩

सीम्नामित्यत्र ‘‘स्मृत्यर्थदयीशां कर्म’’ इत्यनेन षष्ठी केषां सीमाभूतानां ? गृहहारिग्रामाणां हारिः कटकं तथा क्षेत्रनदी दावयोजनानां च दावो वनं कस्यैतेषां सीमाभूतानां ? देशावकाशिकस्य देशनिवृत्तिव्रतस्य ।।९३।।

एवं द्रव्याविधं योजनावधिं चास्य प्रतिपाद्य कालावधिं प्रतिपादयन्नाह

संवत्सरमृतुमयनं मासचतुर्मासपक्षमृक्षं च
देशावकाशिकस्य प्राहुः कालावघिं प्राज्ञाः ।।९४।।

કર્માર્થે છઠ્ઠી વિભક્તિમાં છે. કઈ મર્યાદાભૂત (વસ્તુઓને)? गृहहारिग्रामाणाम्’ ઘર, હારિ (કટકમથકસેનાની છાવણી) અને ગામને તથા क्षेत्रनदी दावयोजनानां च’ ક્ષેત્ર, નદી, વન અને યોજનને (આટલા યોજન સુધી). કોની તે મર્યાદાઓ છે? देशावकाशिकस्य’ દેશાવકાશિક વ્રતનીદેશવિરતી વ્રતની.

ભાવાર્થ :દેશાવકાશિક વ્રતમાં આવાગમનાદિના ક્ષેત્રની મર્યાદા, કાળ વિભાગથી, કોઈ પ્રસિદ્ધ ઘર, ગલી (છાવણી), ગામ, ક્ષેત્ર, નદી, વન અને અમુક યોજન (સુધી) દ્વારા કરવામાં આવે છેએમ ગણધરદેવાદિ કહે છે. આ મર્યાદાઓ પોતાની આવશ્યકતાનુસાર પ્રતિદિન યથાશક્તિ કરવામાં આવે છે.

દિગ્વ્રતમાં મર્યાદિત ક્ષેત્ર વિશાળ હોય છે અને તે ક્ષેત્રની બહાર મનવચન કાયાદિની પ્રવૃત્તિનો ત્યાગ જીવનપર્યન્ત હોય છે, જ્યારે દેશવ્રતમાં મર્યાદિત કરેલું ક્ષેત્ર બહુ નાનું હોય છે અને તે નાના ક્ષેત્રની બહાર આવાગમનાદિ તથા મનવચનકાયની પ્રવૃત્તિનો ત્યાગ અમુક દિવસ, મહિનાદિ કાળવિભાગથી કરવામાં આવે છે. દિગ્વ્રત કરતાં દેશવ્રતમાં પાપવિરતિનું ક્ષેત્ર બહુ વિશાળ હોય છે. દિગ્વ્રતમાં હિંસાદિ પાપની વિરતિ જીવનપર્યંત હોય છે, જ્યારે દેશવ્રતમાં પાપની વિરતિ (ત્યાગ) અમુક કાળમર્યાદાથી હોય છે, આટલો બંનેમાં તફાવત હોય છે. ૯૩.

એ પ્રમાણે તેની (દેશાવકાશિક વ્રતની) દ્રવ્યાવધિ અને યોજનાવિધિનું પ્રતિપાદન કરીને (હવે) કાળાવધિનું પ્રતિપાદન કરી કહે છે

દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા
શ્લોક ૯૪

અન્વયાર્થ :[प्राज्ञाः ] ગણધરદેવાદિક બુદ્ધિમાન પુરુષ [संवत्सरम् ] १. ‘अधीगर्थदयेशां कर्मणि’ पाणिनीय सूत्र