Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 226 of 315
PDF/HTML Page 250 of 339

 

૨૩૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इदानीं तदतिचारान् दर्शयन्नाह

प्रेषणशब्दानयनं रूपाभिव्यक्तिपुद्गलक्षेपौ
देशावकाशिकस्य व्यपदिश्यन्तेऽत्ययाः पञ्च ।।९६।।

अत्यया अतिचाराः पंच व्यपदिश्यन्ते कथ्यन्ते के ते ? इत्याह प्रेषणेत्यादिमर्यादीकृते देशे स्वयं स्थितस्य ततो बहिरिदं कुर्विति विनियोगः प्रेषणं मर्यादीकृतदेशाद्बहिर्व्यापारं कुर्वतः कर्मकरान् प्रति खात्करणादिः शब्दः तद्देशाद्बहिः प्रयोजनवशादिदमानयेत्याज्ञापनमानयनं मर्यादीकृतदेशे स्थितस्य बहिर्देशे कर्म कुर्वतां कर्मकरणां स्वविग्रहप्रदर्शनं रूपाभिव्यक्तिः तेषामेव लोष्ठादिनिपातः पुद्गलक्षेपः ।।९६।।

હવે તેના (દેશાવકાશિક વ્રતના) અતિચારો દર્શાવીને કહે છે

દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો
શ્લોક ૯૬

અન્વયાર્થ :(દેશાવકાશિક વ્રતમાં કહેલી મર્યાદાની બહાર) [प्रेषणशब्दानयनं ] પ્રેષણ (મોકલવું), શબ્દ (શબ્દ કરવો), આનયન (મંગાવવું), [रूपाभिव्यक्तिपुद्गलक्षेपौ ] રૂપાભિવ્યક્તિ (પોતાનું રૂપ બતાવવું) અને પુદ્ગલક્ષેત્ર (પથ્થર આદિ ફેંકવા)[पञ्च ] પાંચ [देशावकाशिकस्य ] દેશાવકાશિક વ્રતના [अत्ययाः ] અતિચારો [व्यपदिश्यन्ते ] કહેવામાં આવ્યા છે.

ટીકા :अत्ययाः’ અતિચારો. કોના? देशावकाशिकस्य’ દેશાવકાશિક વ્રતના દેશવ્રતના. કેટલાં? पञ्च व्यपदिश्यन्ते’ પાંચ કહેવામાં આવ્યા છે. ‘કયા તે?’ તે કહે છેप्रेषणेत्यादि’ મર્યાદિત ક્ષેત્રમાં પોતે ઊભો હોય ત્યાંથી બહાર ‘આ કરો’ એવો વિનિયોગ તે प्रेषणः’ (મોકલવું તે), મર્યાદિકૃત ક્ષેત્રની બહાર કામ કરતા નોકરો પ્રતિ તાલી, ખાંસી આદિનો શબ્દ કરવો તે शब्दः’, તે ક્ષેત્રની બહાર પ્રયોજનવશ ‘આ લાવો’ એવી આજ્ઞા કરવી તે आनयनं’ (મંગાવવું), મર્યાદિકૃત ક્ષેત્રમાં (પોતે) ઊભો હોય ત્યાંથી બહારના ક્ષેત્રમાં કામ કરતા કાર્યકરોને પોતાનું શરીર બતાવવું તે रूपाभिव्यक्तिः’ અને તેમના પ્રતિ કાંકરાપથ્થર આદિ ફેંકવા તે पुद्गलक्षेपः’ છે.

ભાવાર્થ :દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર