Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 227 of 315
PDF/HTML Page 251 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૩૭

एवं देशावकाशिकरूपं शिक्षाव्रतं व्याख्यायेदानीं सामायिकरूपं तद्व्याख्यातुमाह

आसमयमुक्ति मुक्तं पञ्चाघानामशेषभावेन
सर्वत्र च सामायिकाः सामायिकं नाम शंसन्ति ।।९७।।
૧. પ્રેષણ‘આ કરો’ એમ કહીને કોઈને મર્યાદાની બહાર મોકલવો.
૨. શબ્દમર્યાદાની બહાર કામ કરતા નોકર વગેરેને તાલી, ખાંસી આદિનો શબ્દ
કરી ઇશારો કરવો.
૩. આનયન‘આ લાવો’ એમ કહી મર્યાદાની બહારથી કોઈ વસ્તુ મંગાવવી.
૪. રૂપાભિવ્યક્તિમર્યાદાની બહાર કામ કરતા માણસોને પોતાનું શરીર આદિ
બતાવી સૂચના કરવી.
૫. પુદ્ગલક્ષેપમર્યાદાની બહાર કામ કરતા માણસોને ઇશારો કરવા માટે કંકર,
પથ્થર આદિ ફેંકવા.

પોતે મર્યાદાની અંદર ઊભો રહે, પરંતુ મર્યાદા બહાર કામ કરતા માણસો પ્રતિ આવા ઇશારા કરે તે યા તેમની સાથે આવી રીતે સંબંધ રાખે તે અતિચાર છે, અર્થાત્ વ્રતનો એકદેશ ભંગ છે.

એ પ્રમાણે દેશાવકાશિકરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને હવે સામાયિકરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે

સામાયિક શિક્ષાવ્રતનું લક્ષણ
શ્લોક ૯૭

અન્વયાર્થ :[सामायिकाः ] આગમના જાણનારગણધરદેવાદિ [अशेषभावेन ] સર્વ ભાવથી (અર્થાત્ મનવચનકાય અને કૃતકારિતઅનુમોદનાથી) [सर्वत्र ] સર્વત્ર (અર્થાત્ મર્યાદાની બહાર અને અંદર) [आसमयमुक्ति ] સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી (અર્થાત્ સામાયિક માટે કરેલી પ્રતિજ્ઞાનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી) ૧. દેશવ્રતના અતિચારआनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः

(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૩૧.)