૨૪૦ ]
वासोबन्धं वस्त्रग्रन्थि पर्यङ्कबन्धनं चापि उपविष्टकायोत्सर्गमपि च स्थानमूर्ध्वकायोत्सर्ग उपवेशनं वा सामान्येनोपविष्टावस्थानमपि समयं जानन्ति ।।९८।।
एवंविधे१ समये भवत् यत्सामायिकं पंचप्रकारपापात् साकल्येन व्यावृत्तिस्वरूपं तस्योत्तरोत्तरा वृद्धिः कर्तव्येत्याह —
परिचेतव्यं वृद्धिं नेतव्यं । किं तत् ? सामायिकं । क्व ? एकान्ते ‘मूर्धरुहबंध’ કેશોના બંધને – બંધનકાળને સમય કહે છે, તથા ‘मुष्टिबन्धं’ મૂઠીબંધનના કાળને (અર્થાત્ મૂઠી બંધ રહે ત્યાં સુધીના કાળને), ‘वासोबन्धं’ વસ્ત્રબંધનના કાળને (અર્થાત્ વસ્ત્રમાં ગાંઠ રહે ત્યાં સુધીના કાળને), ‘पर्यंकबन्धनं’ પદ્માસનના કાળને અર્થાત્ ઉપવિષ્ટ કાયોત્સર્ગના કાળને, ‘स्थानम्’ ઊર્ધ્વ કાયોત્સર્ગના કાળને અને ‘उपवेशनम्’ સામાન્યતઃ ઉપવિષ્ટ આસનના કાળને પણ સમય કહે છે.
ભાવાર્થ : — જ્યાં સુધી ચોટલીમાં ગાંઠ (બંધન) રહે, મૂઠી બાંધેલી રહે, વસ્ત્રમાં ગાંઠ રહે, પર્યંકાસન – પદ્માસન રહે અને ખડ્ગાસન રહે ત્યાં સુધીના કાળને જ્ઞાની પુરુષો સામાયિક માટેનો સમય કહે છે. ૯૮.
એવા પ્રકારના સમયમાં, પાંચ પ્રકારનાં પાપોથી સર્વથા વ્યાવૃત્તિરૂપ જે સામાયિક થાય તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ, એમ કહે છે —
અન્વયાર્થ : — [निर्व्याक्षेपे ] ઉપદ્રવ રહિત [एकान्ते ] એકાંત સ્થળમાં, [वनेषु ] વનમાં, [वास्तुषु ] એકાંત ઘર યા ધર્મશાળાઓમાં [च ] અને [चैत्यालयेषु ] ચૈત્યાલયોમાં, [अपि च ] તથા પર્વતની ગુફા આદિમાં પણ, [प्रसन्नधिया ] પ્રસન્ન ચિત્તથી [सामायिकं ] સામાયિકની [परिचेतव्यम् ] વૃદ્ધિ કરવી જોઈએ.
ટીકા : — ‘परिचेतव्यम्’ વધારવી જોઈએ. શું તે? ‘सामायिकम्’ સામાયિક. કયાં? ‘एकान्ते’ સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત પ્રદેશમાં. કેવા (પ્રદેશમાં)? १. एवंविधसमये घ ।