Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 244 of 315
PDF/HTML Page 268 of 339

 

૨૫૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अन्यानविदिततत्स्वरूपान् पाययेत् तत् ज्ञानध्यानपरो भवतु, ज्ञानपरो द्वादशानुप्रेक्षाद्युपयोगनिष्ठः

अध्रुवाशरणे चैव भव एकत्वमेव च
अन्यत्वमशुचित्वं च तथैवास्रवसंवरो ।।।।
निर्जरा च तथा लोकबोधदुर्लभधर्मता
द्वादशैता अनुप्रेक्षा भाषिता जिनपुंगवैः ।।।।

ध्यानपरः आज्ञापायविपाकसंस्थानविचयलक्षणधर्मध्याननिष्ठो वा भवतु किंविशिष्टः ? अतन्द्रालुः निद्रालस्यरहितः ।।१०८।। સ્વરૂપ જાણ્યું નથી એવા બીજાઓને ધર્મામૃતનું પાન કરાવો. ज्ञानध्यानपरो भवतु’ જ્ઞાનપરાયણ એટલે બાર અનુપ્રેક્ષા (ભાવના) આદિના ઉપયોગમાં તત્પર રહો.

બાર અનુપ્રેક્ષાનાં નામ

૧. અધ્રુવ (અનિત્ય), ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોક, ૧૧. બોધિદુર્લભ અને ૧૨. ધર્મભાવના. જિનેશ્વરે એ બાર અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ) કહી છે. (તેમાં તત્પર રહો).

ધ્યાનપરાયણ એટલે કે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયએ ચાર પ્રકારનાં ધર્મધ્યાનમાં તત્પર રહો. કેવા થઈને? अतन्द्रालु’ નિદ્રા અને આલસ્ય રહિત થઈને.

ભાવાર્થ :ઉપવાસ કરનાર વ્યક્તિ આલસ્ય રહિત અને ઉત્કંઠા સહિત થઈને ધર્મરૂપી અમૃતનું સ્વયં પાન કરે અને બીજાઓને તેનું પાન કરાવે તથા જ્ઞાન અને ધર્મધ્યાનમાં લવલીન રહે. ૧૦૮. १. अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिन्तनमनुप्रेक्षाः।

(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૯/૭)
ધર્મના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું તેને અનુપ્રેક્ષા કહે છે.

૨. ધર્મધ્યાનના આ ચાર પ્રકાર સંબંધી જુઓ, (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯/૩૬.)