Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 246 of 315
PDF/HTML Page 270 of 339

 

૨૫૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अथ केऽस्यातीचारा इत्याह

ग्रहणविसर्गास्तरणान्यदृष्टमृष्टान्यनादरास्मरणे
यत्प्रोषधोपवासव्यतिलङ्घनपञ्चकं तदिदम् ।।११०।।

प्रोषधोपवासस्य व्यतिलंघनपंचकमतिविचारपंचकं तदिदं पूर्वार्धप्रतिपादितप्रकारं तथा हि ग्रहणविसर्गास्तरणानि त्रीणि कथंभूतानि ? अदृष्टमृष्टानि दृष्टं दर्शनं जन्तवः सन्ति न सन्तीति वा चक्षुपावलोकनं मृष्टं मदुनोपकरणेन प्रमार्जनं तदुभौ न विद्येते येषु ग्रहणादिषु तानि तथोक्तानि तत्र बुभुक्षापीडितस्यादृष्टस्यार्हदादिपूजोपकरणस्यात्मपरिधानाद्यर्थस्य च ઉપવાસ કરવો અર્થાત્ સોળ પ્રહર સુધી ચારે આહારોનો ત્યાગ કરવો તેને પ્રોષધોપવાસ કહે છે. ૧૦૯.

હવે તેના (પ્રોષધોપવાસના) કયા અતિચારો છે તે કહે છે

પ્રોષધાોપવાસ શિક્ષાવ્રતના અતિચાર
શ્લોક ૧૧૦

અન્વયાર્થ :[यत् ] જે [अदृष्टमृष्टानि ] જોયા વિના તથા સંમાર્જન કર્યા વગર (સાફ કર્યા વગર) [ग्रहणविसर्गास्तरणानि ] (પૂજાનાં ઉપકરણો) ગ્રહણ કરવાં, મળમૂત્રાદિનો ત્યાગ કરવો અને બિસ્તરો પાથરવો તથા [अनादरास्मरणे ] આવશ્યક આદિમાં અનાદર કરવો અને યોગ્ય ક્રિયાઓ ભૂલી જવી [तद् इदम् ] તે આ [प्रोषधोपवासव्यतिलङ्घनपंचकम् ] પ્રોષધોપવાસ (શિક્ષાવ્રત)ના પાંચ અતિચાર છે.

ટીકા :प्रोषधोपवास व्यतिलङ्घनपञ्चकम्’ પ્રોષધોપવાસના પાંચ અતિચારો- તેના પ્રકારો આ શ્લોકના પૂર્વાર્ધમાં બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે ग्रहणविसर्गास्तरणानि’ ગ્રહણ, ત્યાગ અને આસ્તરણ (પથારી પાથરવી)એ ત્રણ (અતિચારો). તે કેવા છે? अदृष्टमृष्टानि’ दृष्टं જોયેલાજંતુઓ છે કે નહિ તે આંખથી અવલોકવું (બારીકાઈથી તપાસવું) અને मृष्टं’ સાફ કરેલાકોમળ ઉપકરણથી (પીંછી આદિથી) સાફ કરવું; જે ગ્રહણાદિમાં તે બંને (દ્રષ્ટ અને મૃષ્ટરૂપ ક્રિયાઓ) ન હોય તેને અદ્રષ્ટમુષ્ટ કહે છે. (અદ્રષ્ટમૃષ્ટનો સંબંધ ગ્રહણ, વિસર્ગ અને આસ્તરણ એ ત્રણેયની સાથે છે તેથી અદ્રષ્ટમૃષ્ટગ્રહણ, અદ્રષ્ટમૃષ્ટવિસર્ગ અને અદ્રષ્ટમૃષ્ટઆસ્તરણએ ત્રણ અતિચાર થાય છે.) તેમાં અદ્રષ્ટમૃષ્ટગ્રહણ અતિચારમાં ક્ષુધાથી પીડાતા માણસને અર્હન્તાદિની પૂજાનાં