૨૫૮ ]
इदानीं वैयावृत्यलक्षणशिक्षाव्रतस्य स्वरूपं प्ररूपयन्नाह —
भोजनादिदानमपि वैयावृत्यमुच्यते । कस्मै दानं ? तपोधनाय तप एव धनं यस्य तस्मै । किंविशिष्टाय ? गुणनिधये गुणानां सम्यग्दर्शनादीनां निधिराश्रयस्तस्मै । तथाऽगृहाय भावद्रव्यागाररहिताय । किमर्थं ? धर्माय धर्मनिमित्तं । किंविशिष्टं तद्दानं ?
૫. અસ્મરણ — (સ્મૃત્યનુપસ્થાન) પ્રોષધોપવાસના દિવસે કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓનું વિસ્મરણ થવું – ભૂલી જવું.
ક્ષુધા – તૃષાદિથી પીડાતી વ્યક્તિ પ્રમાદથી જોયા વિના અને સાફસૂફી કર્યા વિના, ભગવાનની પૂજા આદિનાં ઉપકરણો તથા પોતાનાં વસ્ત્રાદિ ગ્રહણ કરે છે, જમીન ઉપર મળ – મૂત્ર ફેંકે છે અને પોતાનો બિસ્તરો વગેરે પાથરે છે; આવશ્યક ધર્મક્રિયાઓમાં આદર કરતો નથી તથા તે ક્રિયાઓ ભૂલી જાય છે. આમ કરવાથી તેના પ્રોષધોપવાસ વ્રતમાં દોષ (અતિચાર) લાગે છે. ૧૧૦.
હવે વૈયાવૃત્યરૂપ શિક્ષાવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [गुणनिधये ] સમ્યગ્દર્શનાદિ ગુણના ભંડાર તથા [अगृहाय ] ગૃહત્યાગી [तपोधनाय ] તપરૂપ ધનથી યુક્ત એવા મુનિને [विभवेन ] વિધિ, દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે [अनपेक्षितोपचारोपक्रियं ] પ્રતિદાન અને મંત્રલાભ આદિ પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના [धर्माय ] રત્નત્રયરૂપ ધર્મની વૃદ્ધિ માટે [दानम् ] જે આહારાદિનું દાન દેવામાં આવે છે, તે [वैयावृत्यम् ] વૈયાવૃત્ય શિક્ષાવ્રત છે.
ટીકા : — ‘दानं वैयावृत्यं’ ભોજનાદિના દાનને પણ વૈયાવૃત્ય કહે છે. કોને દાન? ‘तपोधनाय’ તપ જેનું ધન છે તેને – મુનિને. કેવા પ્રકારના (મુનિ)? ‘गुणनिधये’ જેમને સમ્યગ્દર્શનાદિ ગુણોનો નિધિ છે – આશ્રય છે એવા તથા ‘अगृहाय’ ભાવ અને દ્રવ્ય ગૃહથી જે રહિત છે એવા (અર્થાત્ જે ભાવલિંગી અને દ્રવ્યલિંગી ગૃહત્યાગી છે એવા). શા માટે