Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 250 of 315
PDF/HTML Page 274 of 339

 

૨૬૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
व्यापत्तिव्यपनोदः पदयोः संवाहनं च गुणरागात्
वैयावृत्यं यावानुपग्रहोऽन्योऽपि संयमिनाम् ।।११२।।

व्यापत्तयो विविधा व्याध्यादिजनिता आपदस्तासां व्यपनोदो विशेषेणापनोदः स्फे टनं यत्तद्वैयावृत्यमेव तथा पदयोः संवाहनं पादयोर्मर्दनं कस्मात् ? गुणरागात् भक्तिवशादित्यर्थःन पुनर्व्यवहारात् दृष्टफलापेक्षणाद्वा न केवलमेतावदेव वैयावृत्यं किन्तु अन्योऽपि संयमिनां देशसकलव्रतानां सम्बन्धी यावान् यत्परिमाण उपग्रह उपकारः स सर्वो वैयावृत्यमेवोच्यते ।।११२।।

अथ किं दानमुच्यत इत्यत आह

વૈયાવૃત્યનું અન્ય સ્વરુપ
શ્લોક ૧૧૨

અન્વયાર્થ :[गुणरागात् ] ગુણોના અનુરાગને લીધેભક્તિના કારણે [संयमिनाम् ] વ્રતીઓની [व्यापत्तिव्यपनोदः ] આપત્તિ (દુઃખ) દૂર કરવી, [पदयो संवाहनं ] તેમનાં ચરણ દાબવા [च ] અને [अन्यः अपि ] તે સિવાય અન્ય પણ [यावान् ] જેટલો [उपग्रह ] ઉપકાર કરવોતે સર્વે [वैयावृत्यं ] વૈયાવૃત્ય છે.

ટીકા :व्यापत्तिव्यपनोदः’ વ્યાધિ આદિ જનિત વિવિધ આપદાઓને વિશેષ કરીને દૂર કરવી તે વૈયાવૃત્ય છે, તથા पदयोः संवाहनं’ ચરણ દાબવા (તે પણ વૈયાવૃત્ય છે). શા કારણથી? गुणरागात्’ ગુણાનુરાગથીભક્તિવશાત્ એવો અર્થ છે, પણ નહિ કે વ્યવહારથી અથવા કોઈ ઇષ્ટ ફળની અપેક્ષાથી (ઇચ્છાથી). કેવળ આટલું જ વૈયાવૃત્ય છે એમ નથી, પરંતુ अन्यः अपि’ અન્ય પણ संयमिनाम्’ દેશસંયમી અને સકલસંયમીઓ સંબંધી यावान् उपग्रहः’ જેટલો ઉપકાર તે સર્વ વૈયાવૃત્ય જ કહેવાય છે.

ભાવાર્થ :ગુણાનુરાગથી વ્રતી જનોનું દુઃખ દૂર કરવું, માર્ગજન્ય થાકને દૂર કરવા માટે તેમના પગ દાબવા અને અન્ય જેટલો તેમનો ઉપકાર કરવો; તે બધું વૈયાવૃત્ય કહેવાય છે. ૧૧૨.

હવે દાન કોને કહે છે તે કહે છે १. देशसकलयतीनां घ