Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 251 of 315
PDF/HTML Page 275 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૬૧
नवपुण्यैः प्रतिपत्तिः सप्तगुणसमाहितेन शुद्धेन
अपसूनारम्भाणामार्याणामिष्यते दानम् ।।११३।।

दानमिष्यते कासौ ? प्रतिपत्तिः गौरवं आदरस्वरूपा केषां ? आर्याणां सदृर्शनादिगुणोपेतमुनीनां किंविशिष्टानां ? अपसूनारम्भाणां सूनाः पंचजीवघातस्थानानि तदुक्तम्

खंडनी पेषणी चुल्ली उदकुम्भः प्रमार्जनी
पंचसूना गृहस्थस्य तेन मोक्षं न गच्छति ।।१३।।

खंडनी उल्खलं, पेषणी घरट्टः, चुल्ली चुलूकः, उदकुम्भः उदकघटः, प्रमार्जनी बोहारिका सूनाश्चारंभाश्च कृष्यादयस्तेऽपगता येषां तेषां केन प्रतिपत्तिः कर्तव्या ?

દાનનું લક્ષણ
શ્લોક ૧૧૩

અન્વયાર્થ :[सप्तगुणसमाहितेन ] સાત ગુણ સહિત [शुद्धेन ] કૌલિક, આચારિક તથા શારીરિક શુદ્ધિ સહિત [दात्रा ] શ્રાવક દ્વારા [अपसूनारम्भाणां ] પાંચ સૂના અને આરંભ રહિત, [आर्याणाम् ] સમ્યગ્દર્શન આદિ ગુણો સહિત મુનિઓના [नवपुण्यैः ] નવધા ભક્તિપૂર્વક જે [प्रतिपत्तिः ] આહારાદિક દ્વારા ગૌરવ (આદર) કરવામાં આવે છે, તે [दानम् ] દાન [इष्यते ] કહેવાય છે.

ટીકા :दानम् इष्यते’ દાન કહેવાય છે. શું તે? प्रतिपत्तिः’ ગૌરવ કરવું- આદરપૂર્વક દાન આપવું. કોને? आर्याणाम्’ સમ્યગ્દર્શનાદિ ગુણો સહિત મુનિઓને. કેવા (મુનિઓ)? अपसूनारम्भाणाम्’ પાંચ સૂના અને આરંભ રહિત એવા (મુનિઓ).

સૂના અર્થાત્ પાંચ જીવઘાતનાં સ્થાનો તે નીચે કહ્યાં છે

પાંચ સૂના
खंडनी पेषणी चुल्ली, उदकुम्भः प्रमार्जनी।
पंचसूना गृहस्थस्य, तेन मोक्षं न गच्छति।।

ખાંડણિયામાં ખાંડવું, ચક્કીમાં (ઘંટીમાં) દળવું, ચૂલો યા સગડી સળગાવવી, પાણી ભરવું અને ઝાડુ કાઢવું (કચરો વાળવો)એ પાંચ સૂના છે.

સૂના અને કૃષિ આદિ આરંભથી જે રહિત છે તેમને (મુનિઓને) કોની દ્વારા