Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 258 of 315
PDF/HTML Page 282 of 339

 

૨૬૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तच्चैवंविधफलसम्पादकं दानं चतुर्भेदं भवतीत्याह

आहारौषधयोरप्युपकरणावासयोश्च दानेन
वैयावृत्यं ब्रुवते चतुरात्मत्वेन चतुरस्राः ।।११७।।
વિશેષ

રયણસારમાં કહ્યું છે કે

सप्पुरिसाणं दाणं कप्पतरुणं फलाण सोहं वा
लोहीणं दाणं जइ विमाण सोहा सव्वस्स जाणेह ।।

સત્પુરુષોને દાન કલ્પતરુઓનાં ફળની શોભા જેવું છે અને લોભીપાપી પુરુષોને આપેલું દાન મડદાની ઠાઠડીની શોભા જેવું છેએમ જાણ.

દાનમાં વિશેષતા

તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કેविधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः। અધ્યાય ૭/૩૯.

વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથી દાનમાં વિશેષતા હોય છે. ૧. વિધિવિશેષનવધાભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે.

૨. દ્રવ્યવિશેષતપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્યવિશેષ કહે છે.

૩. દાતૃવિશેષજે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય, તેને દાતૃવિશેષ કહે છે.

૪. પાત્રવિશેષજે સમ્યક્ચારિત્ર વગેરે ગુણો સહિત હોય, એવા મુનિ વગેરેને પાત્રવિશેષ કહે છે. ૧૧૬.

આવા પ્રકારનાં ફળને પ્રાપ્ત કરનાર દાનના ચાર ભેદ છે તે કહે છે

દાનના ચાર ભેદ
શ્લોક ૧૧૭

અન્વયાર્થ :[आहारौषधयोः अपि ] આહાર તથા ઔષધિ [च ] અને [उपकरणावासयोः ] જ્ઞાનનાં સાધન શાસ્ત્રાદિ ઉપકરણ તથા આવાસ (વસતિકા, સ્થાન)