Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 6 vitarAg lakshaN.

< Previous Page   Next Page >


Page 5 of 315
PDF/HTML Page 29 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૫

अथ के पुनस्ते दोषा ये तत्रोत्सन्ना इत्याशंक्याह

क्षुत्पिपासाजरातङ्कजन्मान्तकभयस्मयाः
न रागद्वेषमोहाश्च यस्माप्तः स प्रकीर्त्यते ।।।।

क्षुच्च बुभुक्षा पिपासा च तृषा जरा च वृद्धत्वं आतङ्कश्च व्याधिः जन्म च कर्मवशाच्चतुर्गतिषूत्पतिः अन्तकश्च मृत्युः भयं चेहपरलोकात्राणागुप्ति- આપ્તપણું છે, બીજા કોઈને નહિએમ નિશ્ચય કરવો. આ જ આપ્તનું નિર્દોષ લક્ષણ છે.

અહીં આપ્તનું સ્વરૂપ કહ્યું છે. તેને યથાવત્ જીવાશ્રિત અને પુદ્ગલાશ્રિત એવાં વિશેષણોના ભેદજ્ઞાનપૂર્વક જાણે તે જીવ મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. એ હેતુથી શ્લોક ૫ થી ૮ સુધી આપ્તનું સ્વરૂપ આપ્યું છે. ૫.

હવે વળી તે દોષો ક્યા છે? જે તેમનામાં (આપ્તમાં) નાશ પામ્યા છે. એવી આશંકા ઉઠાવીને કહે છે

અઢાર દોષ રહિત આપ્ત (દેવ)નું લક્ષણ

(વીતરાગ લક્ષણ)
શ્લોક ૬

અન્વયાર્થ :[यस्य ] જેમને [क्षुत्पिपासाजरातङ्कजन्मान्तकभयस्मयाः ] ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, જન્મ, મરણ, ભય, ગર્વ, [रागद्वेषमोहाः ] રાગ, દ્વેષ, મોહ, [च ] અને (આશ્ચર્ય, અરતિ, ખેદ, મદ અથવા શોક, નિદ્રા, ચિન્તા, સ્વેદ) એ અઢાર દોષો [न ](सन्ति) હોય, [सः ] તે [आप्तः ] આપ્ત (સાચા દેવ) [प्रकीर्त्यते ] કહેવાય છે.

ટીકા :क्षुध’ - ખાવાની ઇચ્છા (ભૂખ), पिपासा’ - તૃષા (તરસ), जरा’ - વૃદ્ધત્વ (ઘડપણ), आतङ्क’ - વ્યાધિ (રોગ), जन्म’ - કર્મવશાત્ ચતુર્ગતિમાં ઉત્પત્તિ, अन्तकः’ - મૃત્યુ, भय’ - આ લોકનો, પરલોકનો, અરક્ષાનો, અગુપ્તિનો, મરણનો, વેદનાનો અને અકસ્માતનો એ સાત પ્રકારનો ભય, स्मयः’ - જાતિ - કુલાદિનો દર્પ - ગર્વ, १. येत्रोत्सन्ना घ०