Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 126 sanlekhanA dhAran karyA pachi shu karavu?.

< Previous Page   Next Page >


Page 279 of 315
PDF/HTML Page 303 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૮૯

तदुक्तं

आकंपिय अणुमाणिय जं दिट्ठं बादरं च सुहमं च
छन्नं सद्दाउलयं बहुजणमव्वत्त तस्सेवी ।।।। इति

एवंविधामालोचनां कृत्वा महाव्रतमारोप्यैतत् कुर्यादित्याह

शोकं भयमवसादं क्लेदं कालुष्यमरतिमपि हित्वा
सत्त्वोत्साहमुदीर्य च मनः प्रसाद्यं श्रुतैरमृतैः ।।१२६।।

આલોચનાના દશ દોષો છે. તે આ પ્રમાણે કહ્યા છે

आकंपिय अणुमाणिय जं दिट्ठं वादरं च सुहमं च
छन्नं सद्दाउलयं बहुजणमव्वत्त तस्सेवी ।।।। इति

૧. આકંપિત, ૨. અનુયાચિત, ૩. યદ્દ્રષ્ટ, ૪. બાદર, ૫. સૂક્ષ્મ, ૬. છન્ન, ૭. શબ્દાકુલિત, ૮. બહુજન, ૯. અવ્યક્ત અને ૧૦. તત્સેવીએ દશ આલોચનાના દોષ છે.

ભાવાર્થ :(શ્લોક ૧૨૪) સમાધિમરણ કરનાર વ્યક્તિ ઉપકારક વસ્તુથી રાગ, અનુપકારક વસ્તુથી દ્વેષ, સ્ત્રીપુત્રાદિથી મમતાનો સંબંધ અને બાહ્યઅભ્યંતર પરિગ્રહ એ બધાંને છોડીને શુદ્ધ મનવાળો થઈને પ્રિયવચનોથી પોતાના કુટુંબીજનોની તથા નોકર ચાકરોની પણ ક્ષમા માગી, સ્વયં તેમને ક્ષમા કરે.

(શ્લોક ૧૨૫)તથા મન, વચન, કાય દ્વારા કૃત, કારિત અને અનુમોદિત સમસ્ત પાપોની નિર્દોષ આલોચના કરીને જીવનપર્યન્ત પાંચ મહાવ્રતોને ધારણ કરે.

(અહીં મહાવ્રતો ઉપચારથી કહ્યા છે, નહિ કે મુનિદશાના મહાવ્રત). ૧૨૪૧૨૫.

આ પ્રકારની આલોચના કરીને અને મહાવ્રત ધારણ કરીને, આ કરવું જોઈએ તે કહે છે

શ્લોક ૧૨૬

અન્વયાર્થ :[शोकम् ] શોક, [भयम् ] ભય, [अवसादम् ] વિષાદખેદ, [वलेदम् ] સ્નેહ, [कालुप्यं ] રાગદ્વેષ અને [अरतिम् अपि ] અપ્રેમને પણ [हित्वा ]