Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 129 sanlekhanAnA atichAro.

< Previous Page   Next Page >


Page 285 of 315
PDF/HTML Page 309 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૯૫

अधुना संल्लेखनाया अतिचारानाह

जीवितमरणाशंसे भयमित्रस्मृतिनिदाननामानः
संल्लेखनातिचाराः पञ्च जिनेन्द्रैः समादिष्टाः ।।१२९।।

जीवितं च मरणं च तयोराशंसे आकांक्षे भयमिहपरलोकभयं इहलोकभयं हि क्षुत्पिपासापीडादिविषयं परलोकभयंएवंविधदुर्धरानुष्ठानाद्विशिष्टं फलं परलोके भविष्यति न वेति मित्रस्मृतिः बाल्याद्यवस्थायां सहक्रीडितमित्रानुस्मरणं निदानं भाविभोगाद्याकांक्षणं एतानि पंचनामानि येषां ते तन्नामानः संल्लेखनायाः पंचातिचाराः जिनेन्द्रैस्तीर्थकरैः समादिष्टा आगमे प्रतिपादिताः ।।१२९।। સ્મરણ નથી? તેમનું અનુકરણ કરી જીવનધન આદિમાં નિર્વાંછક થઈ અંતરબાહ્ય પરિષહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરુપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કર......વગેરે......’’ ૧૨૭૧૨૮.

હવે સંલ્લેખનાના અતિચારો કહે છે

સંલ્લેખનાના અતિચારો
શ્લોક ૧૨૯

અન્વયાર્થ :[जीवितमरणाशंसे ] જીવવાની તથા મરણની આકાંક્ષા કરવી, [भयमित्रस्मृतिनिदाननामानः ] ભય કરવો, મિત્રોને યાદ કરવા અને આગામી ભવમાં ભોગોની ઇચ્છા કરવી[पञ्च ] પાંચ [संल्लेखनातिचाराः ] સંલ્લેખનાના અતિચારો છેએમ [जिनेन्द्रैः ] જિનેન્દ્ર ભગવાન દ્વારા [समादिष्टाः ] કહેવામાં આવ્યું છે.

ટીકા :जीवितमरणाशंसे’ જીવન અને મરણની આકાંક્ષા, भयमित्रस्मृतिः’ भयंઆ લોક તથા પરલોકનો ભય, ક્ષુધાતૃષાની પીડાદિ સંબંધી આ લોકનો ભય, અને આવા દુર્ધર અનુષ્ઠાનથી (તપશ્ચરણથી) પરલોકમાં વિશિષ્ટ ફળ મળશે કે નહિતે પરલોકનો ભય, मित्रस्मृतिः’ બાલ્યાદિ અવસ્થામાં જે મિત્રો સાથે ક્રીડા કરી હતી તેનું સ્મરણ, निदानं’ ભાવિ ભોગો આદિની આકાંક્ષાતે નામના સંલ્લેખનાના પાંચ અતિચારો છેએમ जिनेन्द्रैः समादिष्टाः’ તીર્થંકરોએ કહ્યું છેઆગમમાં પ્રતિપાદન કર્યું છે. १. मरणशंसाभयमित्रस्मृति घ ૨. જુઓ, પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૮નો વિશેષ.