Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 130 sanlekhanAnu phaL.

< Previous Page   Next Page >


Page 286 of 315
PDF/HTML Page 310 of 339

 

૨૯૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

एवंविधैरतिचारै रहितां संल्लेखनां अनुतिष्ठन् कीदृशं फलं प्राप्नोत्याह

निःश्रेयसमभ्युदयं निस्तीरं दुस्तरं सुखाम्बुनिधिम्
निःपिबति पीतधर्मा सर्वैर्दुःखैरनालीढः ।।१३०।।

निष्पिबति आस्वादयति अनुभवति वा कश्चित् संल्लेखनानुष्ठाता किं तत् ?

ભાવાર્થ :સંલ્લેખનાના પાંચ અતિચારો

૧. જીવિતાશંસાસંલ્લેખના ધારણ કરીને જીવવાની ઇચ્છા કરવી.

૨. મરણશંસારોગાદિના ઉપદ્રવોથી ગભરાઈ જઈ મરણની ઇચ્છા કરવી.

૩. ભયઆ લોક અને પરલોકનો ભય.

૪. મિત્રસ્મૃતિ(મિત્રાનુરાગ)મિત્ર આદિની પ્રીતિનું સ્મરણ કરવું.

૫. નિદાનઆગામી ભવમાં સાંસારિક વિષયભોગોની ઇચ્છા કરવી. ૧૨૯.

આવા પ્રકારના અતિચારો રહિત સંલ્લેખના કરનારને કેવું ફળ પ્રાપ્ત થાય છે, તે કહે છે

સંલ્લેખનાનું ફળ
શ્લોક ૧૩૦

અન્વયાર્થ :[पीतधर्माः ] ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સંલ્લેખનાધારી જીવો [सर्वैः दुःखैः अनालीढः ] સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેતા થકા (સર્વ દુઃખોથી રહિત થતા થકા) [दुस्तरम् ] દુસ્તર (ઘણા કાળે સમાપ્ત થવાવાળા) [अभ्युदयम् ] અભ્યુદયને (સ્વર્ગના અહમિન્દ્રાદિના સુખની પરંપરાને) અને [निस्तीरम् ] અંતરહિત [सुखाम्बुनिधिम् ] સુખના સાગરસ્વરૂપ [निःश्रेयसम् ] મોક્ષને [निःपिबति ] આસ્વાદે છેઅનુભવે છે.

ટીકા :निष्पिबति’ આસ્વાદે છેઅનુભવે છે. કોણ? કોઈ સંલ્લેખના ધારણ १. जीवीतमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानानि ।। [તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય ૭/૩૭] ૨. આ ‘ભય’ અતિચારને બદલે ‘તત્ત્વાર્થસૂત્ર’ તથા ‘પુરુષાર્થસિદ્ધિઉપાય’માં

‘सुखानुबन्ध’પૂર્વકાળમાં
ભોગવેલા ભોગોને યાદ કરવાએ નામનો અતિચાર આપ્યો છે.