Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 137 darshan PratimAdhArinu lakshaN.

< Previous Page   Next Page >


Page 294 of 315
PDF/HTML Page 318 of 339

 

૩૦૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

एतदेव दर्शयन्नाह

सम्यग्दर्शनशुद्धः संसारशरीरभोगनिर्विण्णः
पञ्चगुरुचरणशरणो दर्शनिकस्तत्त्वपथगृह्यः ।।१३७।।

दर्शनमस्यास्तीति दर्शनिको दर्शनिकश्रावको भवति किंविशिष्टः ? सम्यग्दर्शनशुद्धः सम्यग्दर्शनं शुद्धं निरतिचारं यस्य असंयतसम्यग्दृष्टेः कोऽस्य विशेष इत्यत्राह संसारशरीरभोगनिर्विण्ण इत्यनेनास्य लेशतो व्रतांशसंभवात्ततो विशेषः प्रतिपादितः एतदेवाहतत्त्वपथगृह्यः तत्त्वानां व्रतानां पंथानो मार्गा मद्यादिनिवृत्तिलक्षणा अष्टमूलगुणास्ते गृह्याः पक्षा यस्य पंचगुरुचरणशरणं पंचगुरवः पंचपरमेष्ठिनस्तेषां चरणाः शरणमपायपरिरक्षणोपायो यस्य ।।१३७।।

તે જ દર્શાવીને કહે છે

દર્શન પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૩૭

અન્વયાર્થ :[सम्यग्दर्शनशुद्धः ] જેઓ અતિચાર (દોષ) રહિત હોવાથી સમ્યગ્દર્શનથી શુદ્ધ છે, [संसारशरीरभोगनिर्विण्णः ] જેઓ સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત છે, [पंचगुरुचरणशरणः ] જેને પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે અને [तत्त्वपथगृह्यः ] તત્ત્વોના માર્ગરૂપ આઠ મૂળ ગુણોને જેઓ ધારણ કરી રહ્યા છે, તેઓ [दर्शनिकः ] દર્શનિક શ્રાવક છે.

ટીકા :જેને સમ્યગ્દર્શન છે તે दर्शनिकः’ દર્શનિક શ્રાવક છે. તે કેવો છે? सम्यग्दर्शनशुद्धः’ જેને શુદ્ધઅતિચારરહિત સમ્યગ્દર્શન છે. અસંયત સમ્યગ્દ્રષ્ટિથી તેને શી વિશેષતા છે, તે અહીં કહે છેसंसारशरीरभोगनिर्विण्णः’ સંસાર, શરીર અને ભોગોથી જે વિરક્ત છે, કારણ કે તેને લેશતઃ વ્રતનો અંશ હોય છે તેથી (સમ્યગ્દ્રષ્ટિથી) તેનાથી વિશેષ કહ્યું છે. તે જ કહે છેतत्त्वपथगृह्यः’ તત્ત્વોના અર્થાત્ વ્રતોના માર્ગરૂપ મદ્યાદિના ત્યાગરૂપ આઠ મૂળગુણોને ગ્રહવા યોગ્ય સમજીને જેણે ધારણ કર્યા છે અને पंचगुरुचरणशरणः’ પાંચ ગુરુઓ અર્થાત્ પંચ પરમેષ્ઠીતેમનાં ચરણો જેમને શરણ છે જેમને દુઃખોથી પરિરક્ષણના ઉપાયરૂપ છે(તે દર્શનિક શ્રાવક છે). १. पन्था मार्गो घ०