Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 138 vrat PratimAdhArinu lakshaN.

< Previous Page   Next Page >


Page 296 of 315
PDF/HTML Page 320 of 339

 

૩૦૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तस्येदानीं परिपूर्णदेशव्रतगुणसम्पन्नत्वमाह

निरतिक्रमणमणुव्रतपञ्चकमपि शीलसप्तकं चापि
धारयते निःशल्यो योऽसौ व्रतिनां मतो व्रतिकः ।।१३८।।

व्रतानि यस्य सन्तीति व्रतिको मतः केषां ? व्रतिनां गणधरदेवादीनां कोऽसौ ?

निःशल्यो, मायामिथ्यानिदानशल्येभ्यो निष्क्रान्तो निःशल्यः सन योऽसौ धारयते किं

तत् ? निरतिक्रमणमणुव्रतपंचकमपि पंचाप्यणुव्रतानि निरतिचाराणि धारयते इत्यर्थः જે વિધાનથી જન્મમરણ, લાભઅલાભ યા સુખદુઃખ થાય છે, તે જિનેન્દ્ર ભગવાનના દિવ્યજ્ઞાનમાં જણાયું છે અને તે પ્રમાણે તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે વિધાનથી જન્મમરણ, લાભઅલાભ આદિ નિયમથી થાય છે. તેને દૂર કરવાને કોઈ ઇન્દ્ર, અહમિન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ નથી.

આવો સમ્યગ્દ્રષ્ટિ દર્શનિક શ્રાવક પ્રથમ પદનો (પ્રતિમાનો) ધારક હોય છે. ૧૩૭. હવે શ્રાવક પરિપૂર્ણ દેશવ્રતના ગુણોથી સંપન્ન હોય છે, એમ કહે છે

વ્રત પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૩૮

અન્વયાર્થ :[यः ] જે [निःशल्य ] માયા, મિથ્યાત્વ અને નિદાનએ ત્રણ શલ્યોથી રહિત થઈને [निरतिक्रमणम् ] અતિચાર રહિત [अणुव्रतपंचकम् ] પાંચ અણુવ્રતોને [चापि ] અને [शीलसप्तकम् ] સાત શીલવ્રતોને પણ [धारयते ] ધારણ કરે છે, [असौ ] તે [व्रतीनाम् ] વ્રતધારીઓને [व्रतिकः ] વ્રત પ્રતિમાધારી [मतः ] માનવામાં આવે છે.

ટીકા :व्रतिकः मतः’ જેને વ્રત છે તે વ્રતિક માનવામાં આવ્યો છે. કોનાથી માનવામાં આવ્યો છે? व्रतिनाम्’ વ્રતીઓથીગણધરદેવાદિથી. તે કોણ? निःशल्यः’ મિથ્યાત્વ, નિદાન અને માયાએ શલ્યોથી यः असौ’ જે રહિત થતા થકા धारयते’ ધારણ કરે છે. કોને (ધારણ કરે છે)? निरतिक्रमणमणुपंचकम् अपि’ નિરતિચાર પાંચે १. व्रतान्यस्यास्तीति व्रती मनः घ० २. निःशल्यः तन् घ० ૩. જુઓ, પં. સદાસુખદાસકૃત શ્રી રત્નકરણ્ડ શ્રાવકાચારની હિન્દી ટીકાનો ભાવાર્થ પૃષ્ઠ. ૪૦૨.