Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 298 of 315
PDF/HTML Page 322 of 339

 

૩૦૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

विधाने ‘णमो अरहंताणस्य थोसामें’श्चाद्यन्तयोः प्रत्येकमावर्तत्रितयमिति एकैकस्य हि कायोत्सर्गविधाने चत्वार आवर्ता तथा तदाद्यन्तयोरेकैकप्रणामकरणाच्चतुःप्रणामः स्थित ऊर्ध्वकायोत्सर्गोपेतः यथाजातो बाह्याभ्यन्तरपरिग्रहचिन्ताव्यावृत्तः द्विनिषद्यो द्वे निषद्ये उपवेशने यस्य देववन्दनां कुर्वता हि प्रारंभे समाप्तौ चोपविश्य प्रणामः कर्तव्यः त्रियोगशुद्धः त्रयो योगा मनोवाक्कायव्यापाराः शुद्धा सावद्यव्यापाररहिता यस्य ? अभिवन्दी अभिवन्दत इत्यैवंशीलः कथं ? त्रिसध्यं ।।१३९।।

साम्प्रतं प्रोषधोपवासगुणव्रतं श्रावकस्य प्रतिपादयन्नाह (દરેક દિશામાં) ત્રણત્રણ આવર્ત્ત કરનારઅર્થાત્ એકએક દિશામાં કાયોત્સર્ગના વિધાનમાં णमो अरहंताणं થી थोस्सामि’ આદિ પાઠના અંતે પ્રત્યેક દિશામાં ત્રણ આવર્ત્તએમ ચાર વખત આવર્ત્ત કરનાર, चतुः प्रणामः’ તથા આદિ અને અંતમાં એક એક પ્રણામએમ ચાર પ્રણામ કરનાર, स्थितः’ સ્થિત અર્થાત્ ઊભા રહીને- કાયોત્સર્ગમાં સ્થિત, यथाजातः’ બાહ્યઅભ્યન્તર પરિગ્રહોની ચિંતાથી નિવૃત્ત, द्विनिषद्यः’ બે આસનો કરનાર અર્થાત્ દેવવંદના કરનારે પ્રારંભમાં અને સમાપ્તિ વખતે બેસીને પ્રણામ કરવા જોઈએ. त्रियोगशुद्धः’ ત્રણ યોગ અર્થાત્ મનવચનકાયના વ્યાપારો શુદ્ધ કરીને અર્થાત્ પાપયુક્ત વ્યાપારથી રહિત થઈને अभिवन्दी’ અભિવન્દે છે અર્થાત્ અભિવંદન કરવાનો જેનો સ્વભાવ છેતેવો તે કેવી રીતે (અભિવંદે છે)? त्रिसंध्यम्’ ત્રણ સંધ્યાઓના સમયે (અભિવંદે છે).

ભાવાર્થ :ચારે દિશાઓમાં દરેકમાં ત્રણત્રણ આવર્ત્તએમ કુલ બાર આવર્ત્ત અને એકએક દિશામાં એકએમ ચાર પ્રણામ કરી, અભ્યન્તર અને બાહ્ય પરિગ્રહ રહિત મુનિ સમાન ખડ્ગાસન કે પદ્માસન ધારણ કરી, મનવચનકાયએમ ત્રણ યોગ શુદ્ધ કરી; સવાર, બપોર અને સાંજેસંધ્યાના સમયે સામાયિક કરનાર વ્યક્તિ તૃતીય સામાયિક પ્રતિમાધારી કહેવાય છે.

આ પ્રતિમાધારી શ્લોક ૧૦૫માં દર્શાવ્યા પ્રમાણે સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચારો ન લાગે તે માટે ખાસ સાવધાન રહે છે. તેને પ્રતિમાનું પાલન નિરતિચાર પૂર્વક જ હોય છે. ૧૩૯.

હવે શ્રાવકના પ્રોષધોપવાસ ગુણવ્રતનું પ્રતિપાદન કરી કહે છે