Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 142 rAtribhukti tyAg PratimAdhArinu lakshaN.

< Previous Page   Next Page >


Page 301 of 315
PDF/HTML Page 325 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૩૧૧

अधुना रात्रिभुक्तिविरतिगुणं श्रावकस्य व्याचक्षाणः प्राह

अन्नं पानं खाद्यं लेह्यं नाश्नाति यो विभावर्याम्

स च रात्रिभुक्तिविरतः सत्त्वेष्वनुकम्पमानमनाः ।।१४२।।

स च श्रावको रात्रिभुक्तिविरतोऽभिधीयते यो विभावर्यां रात्रौ नाश्नाति न भुंक्ते किं तदित्याहअन्नमित्यादिअन्नं भक्तमुद्गादि, पानं द्राक्षादिपानकं, खाद्यं मोदकादि, लेह्यं रव्रादि किंविशिष्टः ? अनुकम्पमानमनाः सकरुणहृदयः केषु ? सत्त्वेषु प्राणिषु ।।१४२।। ખાતો નથી, પરંતુ તેમને અચિત્ત કરીનેઅગ્નિ વગેરેમાં પકવીને ખાય છે. ૧૪૧.

હવે શ્રાવકના રાત્રિભુક્તિવિરતિ ગુણનું વર્ણન કરી કહે છે

રાત્રિભુિરાત્રિભુકિકતત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણતત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૨

અન્વયાર્થ :[सत्त्वेषु ] પ્રાણીઓ પ્રત્યે [अनुकम्पमानमनाः ] દયાળુ ચિત્તવાળા થઈને [यः ] જે [विभावर्याम् ] રાત્રે [अन्नम् ] અન્ન, [पानम् ] પેય, [खाद्यम् ] ખાદ્ય, [लेह्यम् ] લેહ્ય પદાર્થો [न अश्नाति ] ખાતો નથી; [सः ] તે [रात्रिभुक्तिविरतः ] રાત્રિભુક્તિત્યાગ પ્રતિમાધારી શ્રાવક છે.

ટીકા :स च रात्रिभुक्तिविरतः’ તે શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી કહેવાય છે, यः’ જે विभावर्याम्’ રાત્રે न अश्नाति’ ખાતો નથી. શું (ખાતો નથી)? તે કહે છે अन्नमित्यादि’ अन्नंઅન્ન અર્થાત્ દાળભાત વગેરે, पानंદ્રાક્ષાદિ (અર્થાત્ દૂધ, જળ આદિ) પીણુંપીવા યોગ્ય પદાર્થ, खाद्यंલાડુ આદિ (અર્થાત્ પેંડા, બરફી આદિ ખાદ્ય વસ્તુ), लेह्यं’પ્રવાહી પદાર્થરાબડી વગેરે. કેવો થઈને? अनुकम्पमानमनाः’ કરુણ હૃદયવાળો થઈને. કોની પ્રત્યે? सत्त्वेषु’ પ્રાણીઓ પ્રત્યે.

ભાવાર્થ :જે શ્રાવક દયાર્દ્રચિત્તવાળો થઈને રાત્રે અન્નદાળભાત વગેરે, પાન દૂધ, જળ આદિ પેય પદાર્થો, ખાદ્યલાડુ, પેંડા, બરફી આદિ અને લેહ્યરાબડી, ચટણી, આમ્રરસ વગેરેએ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે. (ખાતો નથી)તે १ द्रवद्रव्यं आम्रादि इति ख