Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 143 brahmcharya PratimAdhArinu lakshaN.

< Previous Page   Next Page >


Page 302 of 315
PDF/HTML Page 326 of 339

 

૩૧૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

साम्प्रतमब्रह्मविरतत्वगुणं श्रावकस्य दर्शयन्नाह

मलबीजं मलयोनिं गलन्मलं पूतिगन्धि बीभत्सं
पश्यन्नङ्गमनङ्गाद्विरमति यो ब्रह्मचारी सः ।।१४३।।

अनङ्गात् कामाद्यो विरमति व्यावर्तते स ब्रह्मचारी किं कुर्वन् ? पश्यन् किं तत् ? अङ्गं शरीरं कथंभूतमित्याहमलेत्यादि मलं शुक्रशोणितं बीजं कारणं यस्य मलयोनिं मलस्य मलिनतायाः अपवित्रत्वस्य योनिः कारणं गलन्मलं गलन् स्रवन् मलो

मूत्रपुरीषस्वेदादिलक्षणो यस्मात् पूतिगंधि दुर्गन्धोपेतं बीभत्सं सर्वावयवेषु पश्यतां

बीभत्सभावोत्पादकं ।।१४३।। રાત્રિભોજનત્યાગ પ્રતિમાધારી છે.

કેટલાક આચાર્યો આ છઠ્ઠી પ્રતિમાધારીને દિવામૈથુનત્યાગી પણ કહે છે. તેને દિવસે મૈથુનનો (સ્ત્રીસંભોગનો) ત્યાગ હોય છે. ૧૪૨.

હવે શ્રાવકના અબ્રહ્મવિરતિ ગુણને દર્શાવીને કહે છે

બ્રÙચર્ય પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૩

અન્વયાર્થ :[यः ] જે [अङ्गं ] શરીરને [मलबीजं ] રજોવીર્યરૂપ મળથી ઉત્પન્ન [मलयोनिं ] મલિનતાના કારણરૂપ [गलन्मलं ] મળમૂત્રાદિ વહેવડાવનારું, [पूतिगन्धि ] દુર્ગન્ધવાળું અને [बीभत्सम् ] ગ્લાનિયુક્ત [पश्यन् ] જોઈને [अनङ्गात् ] કામથી (કામસેવનથી) [विरमति ] વિરમે છે, [सः ] તે [ब्रह्मचारी ] બ્રહ્મચારી અર્થાત્ બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે.

ટીકા :अनङ्गात्’ કામથી (કામસેવનથી) यः विरमति’ જે વિરક્ત થાય છે (વ્યાવર્ત થાય છેપાછો ફરે છે). सः ब्रह्मचारी’ તે બ્રહ્મચારી છે. શું કરીને? पश्यन्’ જોઈનેદેખીને. કોને (દેખીને)? अङ्गम्’ શરીરને. કેવા (શરીરને)? તે કહે છે मलेत्यादि’ मलबीजं વીર્ય અને લોહી (રજોવીર્યરૂપ મળ) જેની ઉત્પત્તિનું બીજ (કારણ) છે, मलयोनिं’ જે મલિનતાઅપવિત્રતાનું કારણ છે, गलन्मलं’ મળમૂત્ર સ્વેદાદિરૂપ મળ જેમાંથી ઝરે છેગળે છે, पूतिगन्धि’ જે દુર્ગંધયુક્ત છે અને बीभत्सं’ સર્વ અવયવોમાં १. प्रस्वेदादि घ०