કહાનજૈનશાસ્ત્રમાળા ]
क्व ? आरंभे कृष्यादौ । वा शब्दः सर्वत्र परस्परसमुच्चयार्थः । परिग्रहे वा धान्यदासीदासादौ । ऐहिकेषु कर्मसु वा विवाहादिषु । किंविशिष्टः ? समधीः रागादिरहितबुद्धिः ममत्वरहितबुद्धिर्वा ।।१४६।।
‘यस्य खलु’ જેને નિશ્ચયથી ‘नास्ति’ ન હોય. શું તે (ન હોય)? ‘अनुमति’ અનુમોદના. શામાં? ‘आरंभे’ કૃષિ આદિ આરંભનાં કાર્યોમાં. ‘वा’ શબ્દ બધે પરસ્પર સમુચ્ચય અર્થમાં છે. ‘परिग्रहे वा’ ધાન્ય, દાસી, દાસ આદિ પરિગ્રહોમાં ‘ऐहिकेषु कर्मसु वा’ અને વિવાહાદિ આ લોકસંબંધી કાર્યોમાં. કેવા પ્રકારનો? ‘समधीः’ રાગાદિરહિત બુદ્ધિવાળો યા મમત્વબુદ્ધિરહિતવાળો (શ્રાવક અનુમતિત્યાગવાળો મનાય છે).
ભાવાર્થ : — જે ખેતી આદિ આરંભના કાર્યોમાં, ધનાદિ પરિગ્રહોમાં અથવા વિવાહાદિક આ લોક સંબંધી કાર્યોમાં અનુમતિ આપતો નથી, તે મમત્વ યા રાગ – દ્વેષરહિત વ્યક્તિને અનુમતિત્યાગ પ્રતિમાધારી માનવો. ૧૪૬.
હવે શ્રાવક ઉદ્દિશ્યવિરતિરૂપ ગુણથી યુક્ત હોય છે – એમ દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [गृहतः ] ઘેરથી [मुनिवनम् ] મુનિના વનમાં [इत्वा ] જઈને [गुरूपकण्ठे ] ગુરુની પાસે [व्रतानि ] વ્રતો [परिगृह्य ] ગ્રહણ કરીને [तपस्यत् ] તપ કરતાં, [भैक्षाशनः ] ભિક્ષાથી મળેલું ભોજન કરનાર થતા [चेलखण्डधरः ] કૌપીન (લંગોટી) અને ખંડવસ્ત્ર ધારણ કરનાર (વ્યક્તિ) [उत्कृष्टः ] ઉત્કૃષ્ટ શ્રાવક (ક્ષુલ્લક યા ઐલક) છે. १. भैक्षाशनम् घ (भिक्षा एवं भैक्षं स्वार्थेसुण् तद् अश्नागिति भैक्षाशनः प्रत्ययः अथवा भिक्षाणां समूहोभैक्षं