Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 149 rtnatray dharmanA sevananu phaL.

< Previous Page   Next Page >


Page 310 of 315
PDF/HTML Page 334 of 339

 

૩૨૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(इन्द्रवज्राच्छन्दः)
येन स्वयं वीतकलङ्कविद्याद्रष्टिक्रियारत्नकरण्डभावं
नीतस्तमायाति पतीच्छयेव सर्वार्थसिद्धिस्त्रिषु विष्टपेषु ।।१४९।।

येन भव्येन स्वयं आत्मा स्वयंशब्दोऽत्रात्मकवाचकः नीतः प्रापितः कमित्याह वीतेत्यादि, विशेषेण इतो गतो नष्टः कलंको दोषो यासां ताश्च ता विद्यादृष्टिक्रियाश्च ज्ञानदर्शनचारित्राणि तासां करण्डभावं तं भव्यं आयाति आगच्छति कासौ ? सर्वार्थसिद्धिः धर्मार्थकाममोक्षलक्षणार्थानां सिद्धिर्निष्पत्तिः कर्त्री कयेवायाति ? पतीच्छयेव स्वयम्बरविधानेच्छयेव क्व ? त्रिषु विष्टयेषु त्रिभुवनेषु ।।१४९।।

રત્નત્રયધાર્મના સેવનનું ફળ
શ્લોક ૧૪૯

અન્વયાર્થ :[येन ] જે ભવ્યે [स्वयम् ] પોતાના આત્માને [वीतकलङ्कविद्यादृष्टिक्रियारत्नकरण्डभावं ] કલંક રહિત (નિર્દોષ) સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપી રત્નોનો પટારો [नीतः ] બતાવ્યો છે, [तम् ] તેને [त्रिषु विष्टपेषु ] ત્રણ લોકમાં [पतीच्छया इव ] સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારી સ્ત્રીની જેમ [सर्वार्थसिद्धिः ] સર્વ અર્થોની સિદ્ધિ અર્થાત્ ધર્મઅર્થાદિ ચાર પુરુષાર્થની સિદ્ધિ [आयाति ] પ્રાપ્ત થાય છે.

ટીકા :येन’ જે ભવ્યે स्वयम्’ પોતાના આત્માનેઅહીં स्वयं શબ્દ આત્મા વાચક છેनीतः’ પ્રાપ્ત કરાવ્યો છે. કોને (પ્રાપ્ત કરાવ્યો છે)? તે કહે છેवीतेत्यादि’ વિશેષ કરીને જેમનો દોષ (કલંક) નાશ પામ્યો છેતેવાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર ત્રણેના પટારારૂપ ભાવને (પ્રાપ્ત કરાવ્યો છે) तं’ તેને (તે ભવ્યને) आयाति’ આવે છે (પ્રાપ્ત થાય છે). કોણ તે? सर्वार्थसिद्धिः’ ધર્મઅર્થકામમોક્ષરૂપ અર્થોની (પ્રયોજનોની) સિદ્ધિપ્રાપ્તિ. કોની જેમ આવે છે? पतीच्छया इव’ સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારીની જેમ. ક્યાં? त्रिषु विष्टपेषु’ ત્રણ ભુવનમાં.

ભાવાર્થ :જેમ જે મનુષ્યની પાસે બહુમૂલ્ય રત્નો હોય છે તેને વરવા કન્યાઓ ઉત્સુક હોય છે, તેમ જે ભવ્ય જીવે પોતાના આત્માને નિર્દોષ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન