૨૪ ]
परमे इन्द्रादीनां वन्द्ये पदे तिष्ठतीति ‘परमेष्ठी’ । परं निरावरणं परमातिशय- प्राप्तं ज्योतिर्ज्ञानं यस्यासौ परंज्योतिः । ‘विरागो’ विगतो रागो भावकर्म यस्य । ‘विमलो’ विनष्टो मलो द्रव्यरूपो मूलोत्तरकर्मप्रकृतिप्रपंचो यस्य । ‘कृती’ निःशेषहेयोपादेयतत्त्वे विवेकसम्पन्नः । ‘सर्वज्ञो’ यथावन्निखिलार्थसाक्षात्कारी । ‘अनादिमध्यान्तः’ उक्तस्वरूपप्राप्तप्रवाहापेक्षया आदिमध्यान्तशून्यः । ‘सार्वः’ इह पर लोकोपकारकमार्गप्रदर्शकत्वेन सर्वेभ्यो हितः । ‘शास्ता’ पूर्वापरविरोधादिदोषपरिहा-
આપ્તવાચક નામો યા હિતોપદેશીનું સ્વરૂપ
અન્વયાર્થ : — [परमेष्ठी ] પરમેષ્ઠી, [परंज्योतिः ] પરમ જ્યોતિ, [विरागः ] વિરાગ (વીતરાગ) [विमलः ] વિમલ, [कृती ] કૃતી (કૃતકૃત્ય), [सर्वज्ञः ] સર્વજ્ઞ, [अनादिमध्यान्तः ] અનાદિમધ્યાન્ત, (પ્રવાહની અપેક્ષાએ જેને આદિ, મધ્ય અને અંત નથી તેવા. - આદિ - મધ્ય - અંત રહિત), [सार्वं ] સાર્વ (સર્વ હિતકર્તા), [शास्ता ] શાસ્તા (હિતોપદેશી) [उपलाल्यते ] એવાં સાર્થક નામોથી જેમનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, તે આપ્ત કહેવાય છે.
ટીકા : — ઇન્દ્ર વગેરેને વંદનીય એવા પરમ પદમાં જે સ્થિત છે તેથી તે ‘परमेष्ठी’ પરમેષ્ઠી છે. ‘परं’ આવરણ રહિત - પરમ અતિશય પ્રાપ્ત, ‘ज्योति’ જ્ઞાન જેને છે તે ‘परंज्योति’ પરંજ્યોતિ છે. (નિરાવરણ - કેવલજ્ઞાન સહિત હોવાને કારણે તે પરંજ્યોતિ છે.) ‘विरागः’ રાગરૂપ ભાવકર્મથી રહિત હોવાને કારણે જે વિરાગ છે, ‘विमलः’ મૂલ - ઉત્તર કર્મ પ્રકૃતિના વિસ્તારરૂપ, દ્રવ્યકર્મરૂપ મલ જેમને નાશ પામેલ હોવાને કારણે તે વિમલ છે. ‘कृती’ સમસ્ત હેય - ઉપાદેય તત્ત્વોમાં જે વિવેક સંપન્ન હોવાને કારણે કૃતી છે. ‘सर्वज्ञः’ સર્વ પદાર્થોને યથાવત્ સાક્ષાત્ કરનાર હોવાને કારણે તે સર્વજ્ઞ છે. ‘अनादि मध्यान्तः’ પૂર્વોક્ત સ્વરૂપવાળા આપ્તના પ્રવાહની અપેક્ષાએ આદિ - મધ્ય અને અંતથી રહિત હોવાને કારણે તે અનાદિમધ્યાન્ત છે. ‘सार्वः’ આ લોક અને પરલોકને ઉપકારક એવા માર્ગને બતાવનાર હોવાથી સર્વને હિતકારક - હિતરૂપ હોવાને કારણે તે સાર્વ છે. ‘शास्ता’ પૂર્વાપર વિરોધાદિ દોષોના પરિહાર દ્વારા સર્વ પદાર્થોના યથાવત્ સ્વરૂપના