૨૮ ]
कीदृशं तच्छास्त्रं यत्तेन प्रणीतमित्याह —
અહીં પણ ભવ્ય જીવોનું ભાગ્ય (પુણ્યનો ઉદય) અને દિવ્યધ્વનિ એ બે વચ્ચે નિમિત્ત - નૈમિત્તિક સંબંધ સમજવો. ૩. ટીકાકારે સમ્યગ્દર્શનાદિકને સ્વર્ગાદિનું સાધન કહ્યું છે. સમ્યગ્દર્શન તે તો આત્માનો પરિણામ છે. તે નિશ્ચય સમ્યક્ત્વ છે, તે મોક્ષનું સાધન છે. પરંતુ ચતુર્થાદિ ગુણસ્થાનોમાં તેના સહચર તરીકે જે શુભરાગ છે તે જ સ્વર્ગાદિનું સાધન છે. જ્યાં નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ સહચર રૂપે હોય ત્યાં નિશ્ચય સમ્યક્ત્વ તો મોક્ષમાર્ગ રૂપ સંવર
પુણ્યબંધનું કારણ છે અને તેના ફળસ્વરૂપ સ્વર્ગાદિનું કારણ (સાધન) છે; એમ અહીં સમજવું.
અર્હંત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર કરવો અને ધર્મોપદેશ આપવો તે સ્વાભાવિક જ, પ્રયત્ન વિના જ થાય છે — એમ ત્યાં કહ્યું છે અને મોહોદયપૂર્વક નહિ હોવાથી તે ક્રિયાવિશેષો ક્રિયાફળભૂત બંધનાં સાધન થતાં નથી. (જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૪૪ અને તેની ટીકા) ૮.
તે શાસ્ત્ર કેવું છે કે જે આપ્તપુરુષ દ્વારા કહેવાયેલું હોય તે કહે છે —
અન્વયાર્થ : — જે [आप्तोपज्ञम् ] આપ્તનું કહેલું હોય [अनुल्लंघ्यम् ] ઇન્દ્રાદિક દેવો દ્વારા અનુલંઘનીય હોય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય હોય અથવા અન્ય વાદીઓ દ્વારા જેનું ખંડન થઈ શકે તેવું ન હોય. [अदृष्टेष्ट विरोधकम् ] પ્રત્યક્ષ અને અનુમાનાદિક પ્રમાણોથી વિરોધરહિત હોય, [तत्त्वोपदेशकृत ] યથાર્થ સાત તત્ત્વો યા વસ્તુસ્વરૂપનો ઉપદેશ કરવાવાળું હોય, [सार्वं ] સર્વ જીવોને હિતકારક હોય અને [कापथघट्टनम् ] મિથ્યાત્વાદિ કુમાર્ગનું નિરાકરણ કરવાવાળું હોય, તે [शास्त्रम् ] સત્ શાસ્ત્ર છે. १. सिद्धसेनदिवाकरस्य न्यायावतारेपि नवम एवायं श्लोकः ।