Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 19 of 315
PDF/HTML Page 43 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૯

‘आप्तोपज्ञं’ सर्वज्ञस्य प्रथमोक्तिः अनुल्लंघ्यं यस्मात्तदाप्तोपज्ञं तस्मादिन्द्रा दीनामनुल्लंघ्यमादेयं कस्मात् ? तदुपज्ञत्वेन तेषामनुल्लंध्यं यतः ‘अदृष्टेष्टविरोधकं’दृष्टं प्रत्यक्षं, इष्टमनुमानादि, न विद्यते दृष्टेष्टाभ्यां विरोधो यस्य तथाविधमपि कुतस्तत्सिद्धमित्याह‘तत्त्वोपदेशकृत्’ यतस्तत्त्वस्य च सप्तविधस्य जीवादिवस्तुनो यथावस्थितस्वरूपस्य वा उपदेशकृत् यथावत्प्रतिदेशकं ततो दृष्टेष्टाविरोधकं एवंविधमपि कस्मादवगतं ? यतः ‘सार्वं’ सर्वेभ्यो हितं सार्वमुच्यते तत्कथं यथावत्तत्स्वरूपप्ररूपणमन्तरेण घटेत एतदप्यस्य कुतो निश्चितमित्याह ‘कापथघट्टनं’ यतः कापथस्य कुत्सितमार्गस्य मिथ्यादर्शनादेर्घट्टनं निराकारकं’ सर्वज्ञप्रणीतं शास्त्रं ततस्तत्सार्वमिति ।।।।

ટીકા :(શાસ્ત્ર કેવું છે તે કહે છે) - आप्तोपज्ञं’ સર્વજ્ઞની પ્રથમ ઉક્તિરૂપ છે (અર્થાત્ સર્વ પ્રથમ આપ્ત ભગવાને કહેલું છે.) - अनुल्लंघ्यं’ તે આપ્તનું કહેલું હોવાથી ઇન્દ્રાદિ દ્વારા ઉલ્લંઘન કરી શકાય તેવું નથી, અર્થાત્ તેમના દ્વારા સ્વીકાર્ય છે. શાથી? કારણ કે તે સર્વજ્ઞનું ઉપદેશેલું હોવાથી તેમનાથી ખંડનરહિત છે,અર્થાત્ તેઓ તેનું ઉલ્લંઘન કરી શકે તેમ નથી. अदृष्टेष्टविरोधकं’ दृष्टं એટલે પ્રત્યક્ષ અને इष्टम् એટલે અનુમાનાદિ - પ્રત્યક્ષ અને અનુમાનાદિ પ્રમાણોથી વિરોધરહિત છે. તે તેવા જ પ્રકારનું (વિરોધરહિત) શી રીતે સિદ્ધ થાય છે? તે કહે છે - तत्त्वोपदेशकृत्’ કારણ કે સાત પ્રકારનાં તત્ત્વનાજીવાદિ વસ્તુઓના યથાસ્થિત સ્વરૂપનો ઉપદેશ કરે છે. યથાવત્ તેને ઉપદેશે છે તેથી તે પ્રત્યક્ષ, અનુમાનાદિ પ્રમાણોથી વિરોધરહિત છે. તે (શાસ્ત્ર) એવા પ્રકારનું જ છે, (તત્ત્વોનો ઉપદેશ કરનારું છે) એમ શી રીતે જાણ્યું? કારણ કે सार्वं’ સર્વને જે હિતરૂપ હોય તે સાર્વ કહેવાય છે, યથાવત્ તેના સ્વરૂપના પ્રરૂપણ સિવાય તે કેમ ઘટી શકે? તે શાસ્ત્ર તેવું જ છે. (સાર્વ છે) એમ શી રીતે નક્કી કર્યું? તે કહે છે - कापथघट्टनम्’ કારણ કે તે કુમાર્ગનું (મિથ્યાદર્શનાદિનું) નિરાકરણ કરનાર (ખંડન કરનાર), સર્વજ્ઞનું કહેલું શાસ્ત્ર છે તેથી તે શાસ્ત્ર સર્વને હિતરૂપ છે.

ભાવાર્થ :અહીં આચાર્યે સાચાં આગમનાંશાસ્ત્રનાં છ લક્ષણો બતાવ્યાં છે. તે નીચે પ્રમાણે છે

૧. જે આપ્તનું (સાચા દેવનું) કહેલું છે, તેમની દિવ્યધ્વનિ અનુસાર છે.

१. तस्मादितरवादिनां ख २. प्रतिपादकं ख ३. निराकरणकारणं ख