૩૦ ]
अथेदानीं श्रद्धानगोचरस्य तपोभृतः स्वरूपं प्ररूपयन्नाह —
૩. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણાદિથી વિરોધરહિત છે.
૪. સાત તત્ત્વાદિનું યથાવત્ પ્રરૂપણ કરે છે.
૫. સર્વ જીવોને હિતરૂપ છે.
૬. કુમાર્ગનું
પૂર્વ પૂર્વ લક્ષણ આગળ આગળના લક્ષણનું કારણ છે, અર્થાત્ તે આપ્તોપજ્ઞ છે તેથી તે અનુલંઘ્ય છે, તેથી તે દ્રષ્ટ (પ્રત્યક્ષ) અને ઇષ્ટ (અનુમાનાદિ) - પ્રમાણોથી વિરોધરહિત છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણાદિથી વિરોધરહિત છે, તેથી તે જીવાદિ સાત તત્ત્વોનાં સ્વરૂપનું યથાવત્ નિરૂપણ કરે છે. યથાવત્ તત્ત્વોનું નિરૂપણ કરતું હોવાથી તે સાર્વ - સર્વને હિતરૂપ છે અને સર્વેને હિતરૂપ હોવાથી તે મિથ્યા માર્ગનું ખંડન કરનારું છે.
જૈન આગમની ઉત્કૃષ્ટતાને જે જીવ યથાર્થપણે ઓળખે તે પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈ સમ્યગ્દ્રષ્ટિ થાય અને તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. એ આ શ્લોકનો આશય છે. ૯.
હવે શ્રદ્ધાના વિષયભૂત તપોભૂતનું (ગુરુ)નું સ્વરૂપ પ્રરૂપી કહે છે —
અન્વયાર્થ : — [यः ] જે [विषयाशावशातीतः ] પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઇચ્છાની પરાધીનતાથી રહિત છે, [निरारंभः ] આરંભ રહિત છે, [अपरिग्रहः ] પરિગ્રહરહિત છે અને [ज्ञानध्यानतपोरन्तः ] જ્ઞાન, ધ્યાન તથા તપરૂપી રત્નોથી સહિત છે, [सः ] તે [तपस्वी ] તપસ્વી (સાચા ગુરુ) [प्रशस्यते ] કહેવાય છે. १. ‘ज्ञानध्यानतपोरक्त इत्यपि’ प्रसिद्धः ।