Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 11 nishankitatv anganu lakshaN.

< Previous Page   Next Page >


Page 22 of 315
PDF/HTML Page 46 of 339

 

૩૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इदानीमुक्तलक्षणदेवागमगुरुविषयस्य सम्यग्दर्शनस्य निःशंकितत्वगुणस्वरूपं प्ररूपयन्नाह

इदमेवेदृशमेव तत्त्वं नान्यन्न चान्यथा
इत्यकम्पायसाम्भोवत्सन्मार्गेऽसंशया रुचिः ।।११।।

‘रुचिः’ सम्यग्दर्शनं ‘असंज्ञया’ निःशंकितत्वधर्मोपेता किंविशिष्टा सति ? ‘अकम्पा’ निश्चला किंवत् ? ‘आयसाम्भोवत्’ अयसि भवमायसं तच्च तदम्भश्च पानीयं પુદ્ગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી અસમાન જાતીય મુનિ - પર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિનું સાચું લક્ષણ છે. તેને તે ઓળખતો નથી. જો એની ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે જ નહિ.

આ પ્રમાણે ગુરુનું સ્વરૂપ જાણી આત્મસન્મુખ થઈ, જીવ સત્યાર્થ સમ્યગ્દર્શન પ્રગટ કરેએ આ શ્લોકનો આશય છે. ૧૦.

હવે ઉક્ત લક્ષણવાળા દેવ, આગમ અને ગુરુ જેનો વિષય છે એવા સમ્યગ્દર્શનના નિઃશંકિતત્વ ગુણના સ્વરૂપનું પ્રરૂપણ કરતાં કહે છે

૧. નિઃશંકિતત્વ અંગ (ગુણ)નું લક્ષણ
શ્લોક ૧૧

અન્વયાર્થ :[इदम् एव तत्त्वम् ] આ આપ્ત - આગમ - તપસ્વી સ્વરૂપ તત્ત્વ [इद्रशम् एव ] આ પ્રકારે જ છે [न अन्यत् ] અન્ય, (તેનાથી બીજું) નથી, [च ] અને [न अन्यथा ] અન્ય પ્રકારે નથી. [इति ] એ રીતે [सन्मार्गे ] આપ્ત - આગમ અને ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં [आयसाम्भोवत् ] લોખંડના (લોખંડની તલવારના) પાણી (તીવ્ર ધાર) સમાન [अकंपा ] નિશ્ચલ (અટલ) [रुचिः ] રુચિ (શ્રદ્ધાન) તે [असंशया ] નિઃશંકિતત્વગુણ છે.

ટીકા :आयसाम्भोवत्’ જેવી રીતે તલવારાદિ પર ચઢાવેલું લોઢાનું પાણી અકંપ - નિશ્ચલ છે તેવી જ રીતે सन्मार्गे’ સંસારસમુદ્રને પાર ઉતરવા માટે સત્પુરુષો દ્વારા ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર સાતમો, પૃષ્ઠ ૨૨૮.