૩૨ ]
इदानीमुक्तलक्षणदेवागमगुरुविषयस्य सम्यग्दर्शनस्य निःशंकितत्वगुणस्वरूपं प्ररूपयन्नाह —
‘रुचिः’ सम्यग्दर्शनं । ‘असंज्ञया’ निःशंकितत्वधर्मोपेता । किंविशिष्टा सति ? ‘अकम्पा’ निश्चला । किंवत् ? ‘आयसाम्भोवत्’ अयसि भवमायसं तच्च तदम्भश्च पानीयं પુદ્ગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી અસમાન જાતીય મુનિ - પર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિનું સાચું લક્ષણ છે. તેને તે ઓળખતો નથી. જો એની ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે જ નહિ.૧
આ પ્રમાણે ગુરુનું સ્વરૂપ જાણી આત્મસન્મુખ થઈ, જીવ સત્યાર્થ સમ્યગ્દર્શન પ્રગટ કરે — એ આ શ્લોકનો આશય છે. ૧૦.
હવે ઉક્ત લક્ષણવાળા દેવ, આગમ અને ગુરુ જેનો વિષય છે એવા સમ્યગ્દર્શનના નિઃશંકિતત્વ ગુણના સ્વરૂપનું પ્રરૂપણ કરતાં કહે છે —
અન્વયાર્થ : — [इदम् एव तत्त्वम् ] આ આપ્ત - આગમ - તપસ્વી સ્વરૂપ તત્ત્વ [इद्रशम् एव ] આ પ્રકારે જ છે [न अन्यत् ] અન્ય, (તેનાથી બીજું) નથી, [च ] અને [न अन्यथा ] અન્ય પ્રકારે નથી. [इति ] એ રીતે [सन्मार्गे ] આપ્ત - આગમ અને ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં [आयसाम्भोवत् ] લોખંડના (લોખંડની તલવારના) પાણી (તીવ્ર ધાર) સમાન [अकंपा ] નિશ્ચલ (અટલ) [रुचिः ] રુચિ (શ્રદ્ધાન) તે [असंशया ] નિઃશંકિતત્વગુણ છે.
ટીકા : — ‘आयसाम्भोवत्’ જેવી રીતે તલવારાદિ પર ચઢાવેલું લોઢાનું પાણી અકંપ - નિશ્ચલ છે તેવી જ રીતે ‘सन्मार्गे’ સંસારસમુદ્રને પાર ઉતરવા માટે સત્પુરુષો દ્વારા ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર સાતમો, પૃષ્ઠ ૨૨૮.