કહાનજૈનશાસ્ત્રમાળા ]
तदिव तद्वत् खड्गादिगतपानीयवदित्यर्थः क्व१ साकम्पेत्याह – ‘सन्मार्गे’ संसारसमुद्रोत्तरणार्थ सद्भिर्मृग्यते अन्वेष्यत इति सन्मार्ग आप्तागमगुरुप्रवाहस्तस्मिन्केनोल्लेखेनेत्याह – ‘इदमेवाप्तागमतपस्विलक्षणंः तत्त्वं । ‘इदृशमेव’ उक्तप्रकारेणैव लक्षणेन लक्षितं । ‘नान्यत्’ एतस्माद्भिन्नं न । ‘न चान्यथा’ उक्तलक्षणादन्यथा परपरिकल्पितलक्षणेन लक्षितं, ‘न च’ नैव तद्घटते इत्येवमुल्लेखेन ।।११।। જેની ખોજ કરવામાં આવે છે - જેનું અન્વેષણ કરવામાં આવે છે એવા સન્માર્ગમાં - આપ્ત - આગમ ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં - ‘इदमेवेत्यादि’ આ આપ્ત - આગમ - તપસ્વી સ્વરૂપ તત્ત્વ લક્ષણથી લક્ષિત છે. ‘न अन्यत्’ એનાથી બીજું (જુદું) નથી. ‘न च अन्यथा’ કહેલા લક્ષણથી અન્યથા — બીજાઓએ કલ્પેલા લક્ષણથી લક્ષિત હોવું — બિલકુલ ઘટતું નથી એવા પ્રકારથી ‘अकम्पा’ જે નિશ્ચલ ‘रुचि’ સમ્યગ્દર્શન છે તે ‘असंशया’ સમ્યગ્દર્શનનું નિઃશંકિતત્વગુણ અથવા નિઃશંકિત્વ અંગ કહેવાય છે.
ભાવાર્થ : — તે તત્ત્વ આ જ છે, અન્ય નથી અને અન્ય પ્રકારે પણ નથી. તેવું તલવારનાં પાણીની (તીક્ષ્ણ ધારની) જેમ નિશ્ચલ - સંશય રહિત શ્રદ્ધાન તે પરમાર્થ સમ્યગ્દર્શનનું પ્રથમ નિઃશંકિત અંગ છે.
તત્ત્વાર્થસૂત્રમાં ‘तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम्’ અર્થાત્ તત્ત્વાર્થના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. અહીં ટીકાકારે દેવ, આગમ અને ગુરુ — એ ત્રણેના પરમાર્થસ્વરૂપ તત્ત્વના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું તે બંને એક જ છે; કારણ કે —
‘‘........અર્હંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહિ, માટે અર્હંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે......જેને સાચા અર્હંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અર્હંતાદિકના સ્વરૂપને ઓળખતાં જીવ - અજીવ - આસ્રવાદિની ઓળખાણ થાય છે. એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવ જાણી કોઈ ઠેકાણે અર્હંતાદિકના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે.’’૨
મૂળ શ્લોકમાં ‘तत्त्व’ છે તેનો અર્થ ટીકામાં ‘आप्तागमतपस्वि लक्षणं तत्त्वं’ કરેલ १. क्व सा अकम्पेत्याह घ० । ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૩૩૦.