Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 13 nirvichikitshat Anganu lakshaN.

< Previous Page   Next Page >


Page 30 of 315
PDF/HTML Page 54 of 339

 

૪૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

सम्प्रति निर्विचिकित्सागुणं सम्यग्दर्शनस्य प्ररूपयन्नाह

स्वभावतोऽशुचौ काये रत्नत्रयपवित्रिते
निर्जुगुप्सा गुणप्रीतिर्मता निर्विचिकित्सता ।।१३।।

‘निर्विचिकित्सता मता’ अभ्युपगता कासौ ? ‘निर्जुगुप्सा’ विचिकित्साभावः क्व ? काये किंविशिष्टे ? ‘स्वभावतोऽशुचौ’ स्वरूपेणापवित्रिते इत्थंभूतेऽपि काये ‘रत्नत्रयपवित्रिते’ रत्नत्रयेण पवित्रिते पूज्यतां नीते कुतस्तथाभूते निर्जुगुप्सा भवतीत्याह ‘गुणप्रीतिः’ यतो गुणेन रत्नत्रयाधारभूतमुक्तिसाधकत्वलक्षणेन प्रीतिर्मनुष्यशरीरमेवेदं मोक्षसाधकं नान्यद्देवादिशरीरमित्यनुरागः ततस्तत्र निर्जुगुप्सेति ।।१३।।

હવે સમ્યગ્દર્શનના નિર્વિચિકિત્સતા ગુણનું પ્રરૂપણ કરીને કહે છે

૩. નિર્વિચિકિત્સતા ગુણનું લક્ષણ
શ્લોક ૧૩

અન્વયાર્થ :[स्वभावतः ] સ્વરૂપથી [अशुचौ ] અપવિત્ર, કિંતુ [रत्नत्रयपवित्रिते ] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રથી પવિત્ર [काये ] શરીરમાં [निर्जुगुप्सा ] જુગુપ્સારહિત (ગ્લાનિરહિત) [गुणप्रीतिः ] (મુક્તિસાધક) ગુણોને લીધે પ્રીતિ કરવી તે [निर्विचिकित्सता ] નિર્વિચિકિત્સતા અંગ કહેવાય છે.

ટીકા :निर्विचिकित्सता मता’ નિર્વિચિકિત્સતા માનવામાં આવી છે - સ્વીકારવામાં આવી છે. તે શું? निर्जुगुप्सा’ નિર્જુગુપ્સા અર્થાત્ વિચિકિત્સા ન હોવી તે. ક્યાં? શરીરમાં. કેવા પ્રકારના શરીરમાં? स्वभावतोऽशुचौ’ સ્વરૂપથી અપવિત્ર. આવા (અપવિત્ર) શરીરને પણ, रत्नत्रयपवित्रिते’ રત્નત્રયથી પવિત્ર બનાવવામાં આવે છે - પૂજ્ય બનાવવામાં આવે છે. એવા શરીરમાં નિર્જુગુપ્સા (ગ્લાનિ ન હોવી) શા કારણે હોય? તે કહે છે. गुणप्रीतिः’ કારણ કે રત્નત્રયના આધારભૂત અને મુક્તિના સાધકસ્વરૂપ ગુણને લીધે (તેમાં) પ્રીતિ હોય છે. મનુષ્યનું આ શરીર જ મોક્ષસાધક છે, નહિ કે અન્ય દેવાદિનું શરીર; એવો અનુરાગ (પ્રીતિ) હોય છે, તેથી તેમાં નિર્જુગુપ્સા હોય છે અર્થાત્ તેમાં ગ્લાનિ હોતી નથી.

ભાવાર્થ : આ નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન છે. વિચિકિત્સાનો અર્થ ગ્લાનિ છે.