૪૪ ]
अथोपगूहनगुणं तस्य प्रतिपादयन्नाह —
‘तदुपगूहनं वदन्ति’ यत्प्रमार्जन्ति निराकुर्वन्ति प्रच्छादयन्तीत्यर्थः । कां ? ‘वाच्यतां’ दोषं । कस्य ? ‘मार्गस्य’ रत्नत्रयलक्षणस्य । किंविशिष्टस्य ? ‘स्वयं शुद्धस्य’ स्वभावतो निर्मलस्य । कथंभूतां ? ‘बालाशक्तजनाश्रयां’ बालोऽज्ञः, अशक्तो व्रताद्यनुष्ठाने- ऽसमर्थः स चासौ जनश्च स आश्रयो यस्याः । अयमर्थ — हिताहितविवेकविकलं મોહપાશમાં પડી મૂર્ખ બનતો નથી.) તે ખરેખર અમૂઢદ્રષ્ટિ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૧
આત્મતત્ત્વ અને શરીરાદિક બર્હિતત્ત્વોનો યથાર્થ નિશ્ચય થતાં તેનાં ફળસ્વરૂપ સમસ્ત મિથ્યાત્વ - રાગાદિ શુભાશુભ સંકલ્પ-વિકલ્પોમાં ઇષ્ટબુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, હિતબુદ્ધિ અને મમત્વભાવ છોડી વિશુદ્ધ જ્ઞાન - દર્શન સ્વભાવમાં નિશ્ચય રહેવું તેનું નામ સાચો અમૂઢદ્રષ્ટિ ગુણ છે.૨ ૧૪.
હવે તેના (સમ્યગ્દર્શનના) ઉપગૂહન ગુણનું પ્રતિપાદન કરી કહે છે —
અન્વયાર્થ : — [स्वयं ] સ્વયં (સ્વરૂપથી) [शुद्धस्य ] શુદ્ધ (પવિત્ર) [मार्गस्य ] માર્ગની (મોક્ષમાર્ગની) [बालाशक्तजनाश्रयाम् ] અજ્ઞાની અને અસમર્થ પુરુષો દ્વારા ઉત્પન્ન થયેલી [वाच्यतां ] નિંદાને [यत् प्रमार्जन्ति ] જે દૂર કરે છે - છુપાવે છે [तत् ] તે પ્રમાર્જનને (દૂર કરવું - છુપાવવું તેને) [उपगूहनम् ] ઉપગૂહન અંગ [वदन्ति ] કહે છે.
ટીકા : — ‘स्वयं शुद्धस्य मार्गस्य’ સ્વભાવથી નિર્મળ એવા રત્નત્રયસ્વરૂપ માર્ગના ‘बालाशक्तजनाश्रयां वाच्यतां’ અજ્ઞાની અને વ્રતાદિનું આચરણ કરવામાં અસમર્થ એવા જનોના આશ્રયે જે ઉત્પન્ન થયો છે એવા દોષોનું ‘यत् प्रमार्जन्ति’ જે દૂર કરવું (છુપાવવું) ‘तदुपगूहनम्’ તેને ઉપગૂહન ગુણ કહે છે. આ અર્થ છે કે હિત અને ૧. જુઓ શ્રી સમયસાર ગાથા ૨૩૨ની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા. ૨. જુઓ શ્રી દ્રવ્યસંગ્રહ ગાથા ૪૧ અમૂઢદ્રષ્ટિ ગુણ સંબંધી ટીકા.