Ratnakarand Shravakachar (Gujarati). PrakAshakiy nivedan (Third edition).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 339

 

( 4 )

આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને તેઓ જ્યાં હોય ત્યાં આત્મસાધનામાં વિશેષ પ્રગતિ કરીને ધ્યેયની પ્રાતિ શીઘ્ર કરી લ્યે એવી અંતરથી ભાવના ભાવે છે.

આ અનુવાદ આદ્યંત તપાસીને જેમણે પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાન વડે યોગ્ય સંશોધન કરી આયું છે અને માર્ગદર્શન આયું છે, તે સહાયતા માટે આ સંસ્થાના માનનીય ભૂતપૂર્વ પ્રમુખ ભાઇશ્રી રામજીભાઇ દોશીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

અજિત મુદ્રણાલયના સંચાલક શ્રી મગનલાલજી જૈને કુશળતાપૂર્વક આ ગ્રંથની સુંદર છપાઇ આદિ કાર્ય કરી આયું છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.

આ ગ્રંથમાં પ્રરુપિત શ્રાવકાચારને યથાર્થ સમજી, જીવનમાં પરિણમાવી જગતના સર્વ જીવો આત્મહિત સાધો અને વીતરાગના પંથને સદાય અનુસરો એવી ભાવના ભાવીએ છીએ. સોનગઢ

સાહિત્યપ્રકાશનસમિતિ

દીપાવલી

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ

વિ.સં. ૨૦૩૨

સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રકાશકીય નિવેદન (ત્રીજી આવૃત્તિ)

આ ગ્રંથની પહેલાની આવૃત્તિ પૂર્ણ થઇ જવાથી આ સુધારા-વધારા સાથેની નવીન ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે.

આ શાસ્ત્રનો સમ્યક્પ્રકારે અભ્યાસ કરી મુમુક્ષુઓ નિજાત્મકલ્યાણને સાધે એ જ ભાવના.... ફાગણ વદ દશમ

સાહિત્યપ્રકાશનસમિતિ

પૂજ્ય બહેનશ્રીનો ૭૯મો

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ

સમ્યક્જયંતી મહોત્સવ

સોનગઢ (સૌરાષ્ટ્ર)

વિ.સં. ૨૦૬૭