૪૬ ]
अथ स्थितीकरणगुणं सम्यग्दर्शनस्य दर्शयन्नाह —
‘स्थितीकरणं’ अस्थितस्य दर्शनादेश्चलितस्य स्थितकरणं१ स्थितीकरणमुच्यते । कैः ? प्राज्ञैस्तद्विचक्षणैः । किं तत् ? ‘प्रत्यवस्थापनं’ दर्शनादौ पूर्ववत् पुनरप्यवस्थापनं । केषां ? ‘चलतां’ कस्मात् ? दर्शनाच्चरणाद्वापि । कैस्तेषां प्रत्यवस्थापनं ? ‘धर्मवत्सलैः’ धर्मवात्सल्ययुक्तैः ।।१६।।
હવે સમ્યગ્દર્શનના સ્થિતિકરણ ગુણને દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [दर्शनात् ] સમ્યગ્દર્શનથી [वा ] અથવા [चरणात् ] સમ્યક્ચારિત્રથી [अपि ] પણ [चलतां ] ચલિત થતા - ડગતા જીવોને [धर्मवत्सलैः ] ધર્મપ્રેમી જીવો દ્વારા [प्रत्यवस्थापनम् ] ફરીથી તેમાં (ધર્મમાં) પૂર્વવત્ સ્થાપવા તેને [प्राज्ञैः ] વિદ્વાનો દ્વારા [स्थितीकरण ] સ્થિતિકરણ અંગ [उच्यते ] કહેવામાં આવ્યું છે.
ટીકા : — ‘स्थितीकरणं’ - અસ્થિત - દર્શન આદિથી ચલિત થયેલાને ફરીથી સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. ‘धर्मवत्सलैः’ ધર્મમાં સ્નેહ રાખવાવાળા પુરુષો દ્વારા ‘दर्शनाच्चरणाद्वापि चलतां’ દર્શન અથવા ચારિત્રથી પણ ચલિત થયેલાઓને પણ ‘प्रत्यवस्थापन’ દર્શનાદિમાં પૂર્વવત્ ફરીથી સ્થાપન કરવો તેને ‘प्राज्ञैः’ વિચક્ષણ પુરુષો દ્વારા ‘स्थितीकरणमुच्यते’ સ્થિતિકરણ ગુણ કહેવાય છે.
ભાવાર્થ : — રોગ, દરિદ્રતા, ચમત્કાર, પ્રલોભન, મિથ્યા ઉપદેશાદિ કારણોથી સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રથી ડગતા - ચલિત થતા જીવોને યોગ્ય ઉપદેશ આપી ધર્મપ્રેમીઓ દ્વારા ફરીથી ધર્મમાં લગાડવા (સ્થિર કરવા), તેને વિદ્વાનો સ્થિતિકરણ ગુણ - અંગ કહે છે.
‘‘જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે १. स्थितस्य करणं घ० ।