Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 42 of 315
PDF/HTML Page 66 of 339

 

૫૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तत्र निःशंकितत्वेंऽजनचोरो दृष्टान्ततां गतोऽस्य कथा

‘‘વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મઅંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકાકાંક્ષાદિ ન કરતાં તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ, પણ કોઈ કાર્યમાં શંકાકાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ન થાય. સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો. એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું કહીએ છીએ.’’

જેને પાછળથી સમ્યક્ત્વ થયું હોય તેને જ આ ઉપચાર લાગુ પડે છે, પણ મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી, જે પાછળથી સમ્યગ્દર્શન પ્રગટ કરે નહિ તેને આ ઉપચાર લાગુ પડતો નથી, એમ સમજવું.

વિશેષ

સમ્યગ્દર્શન, પ્રતીતિ, રુચિ, શ્રદ્ધા અને શ્રદ્ધાનએ સમ્યક્ત્વના પર્યાયવાચક શબ્દો છે. સમ્યગ્દર્શનને આઠ અંગ છે. અંગ શબ્દનો અર્થ અવયવ છે. સમ્યગ્દર્શન અંગી છે અવયવી છે અને નિઃશંકિત આદિ તેનાં અંગઅવયવ છે.

અંગનો અર્થ લક્ષણચિહ્ન પણ થાય છે. જેને સમ્યગ્દર્શન હોય છે તેને નિઃશંકિત આદિ ચિહ્નો અવશ્ય હોય છે.

સમ્યગ્દર્શનનાં આઠ અંગોમાં પ્રથમનાં ચાર અંગોઃનિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સતા અને અમૂઢદ્રષ્ટિએ નિષેધરૂપ છે અને બાકીનાં ચાર અંગોઉપગૂહન, સ્થિતીકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાએ વિધેયરૂપ છે.

સૂચનાહવે ટીકાકાર આઠે અંગમાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓની ક્રમવાર કથા કહેશે.

તેમાં નિઃશંકિતપણામાં અંજનચોર દ્રષ્ટાંતપણાને પામેલ છે (તે આઠ અંગમાં નિઃશંકિત અંગમાં અંજનચોરનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે), તેની આ કથા છે. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૭૬.