Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 21 anga sahit samyagdarshannu sAmarthy.

< Previous Page   Next Page >


Page 67 of 315
PDF/HTML Page 91 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૭૭

ननु सम्यग्दर्शनस्याष्टभिरङ्गैः प्ररूपितैः किं प्रयोजनं ? तद्विलस्याप्यस्य संसारोच्छेदनसामर्थ्यसंभवादित्याशंक्याह

नांगहीनमलं छेत्तुं दर्शनं जन्मसन्ततिम्
न हि मन्त्रोऽक्षरन्यूनो निहन्ति विषवेदनां ।।२१।।

‘दर्शनं’ कर्तृ ‘जन्मसन्ततिं’ संसारप्रबन्धं ‘छेत्तुं’ उच्छेदयितुं ‘नालं’ न समर्थं कथंभूतं सत्, ‘अंगहीनं’ अंगैर्निःशंकितत्वादिस्वरूपैर्हीनं विकलं अस्यैवार्थस्य समर्थनार्थं दृष्टान्तमाह‘न ही’त्यादि सर्पादिदष्टस्य प्रसृतसर्वांगविषवेदनस्य तदपहरणार्थं प्रयुक्तो मंत्रोऽक्षरेणापि न्यूनो हीनो ‘न हि’ नैव ‘निहन्ति’ स्फोटयति विषवेदनां ततः દ્રવ્યલિંગીને આ ઉપચાર લાગુ પડતો નથી, કેમ કે તેને સમ્યક્ત્વ થયું નથી.

સમ્યક્ત્વનાં અંગો સંબંધી જે આઠ દ્રષ્ટાંતો (કથારૂપે) આપ્યાં છે તે આ દ્રષ્ટિએ સમજવાં. ૧૯૨૦.

સમ્યગ્દર્શનનાં આઠ અંગોનું પ્રરૂપણ કરવાનું શું પ્રયોજન? કારણ કે તેના વિના પણ તેને (સમ્યગ્દર્શનને) સંસારનો નાશ કરવાનું સામર્થ્ય સંભવે છે. એવી આશંકા કરીને કહે છે

અંગસહિત સમ્યગ્દર્શનનું સામર્થ્ય
શ્લોક ૨૧

અન્વયાર્થ :[अंगहीनं ] અંગ રહિત [दर्शनं ] સમ્યગ્દર્શન [जन्मसंततिम् ] જન્મમરણની પરંપરાનો [छेत्तुं ] નાશ કરવાને [न अलं ] સમર્થ નથી. જેમ [अक्षरन्यूनः ] અક્ષરહીન [मंत्रः ] મંત્ર [विषवेदनां ] વિષવેદનાને [न हि निहन्ति ] નાશ કરી શકતો જ નથી.

ટીકા :अङ्गहीनं दर्शनं जन्मसंततिं छेत्तुं न अलं’ નિઃશંકિતત્વાદિ સ્વરૂપ અંગોથી રહિત હોય, એવું સમ્યગ્દર્શન સંસારના પ્રબંધનો (સંસારની સંતતિનો) ઉચ્છેદ કરવાને સમર્થ નથી. આ જ અર્થના સમર્થનને માટે દ્રષ્ટાંત કહે છે. न हि इत्यादि’ સર્પાદિથી ડસાયેલા અને સર્વ અંગોમાં પ્રસરેલા વિષની વેદનાવાળા મનુષ્યની વિષવેદનાને १. स्फे टयति घ०