Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 22 lokmudhatA.

< Previous Page   Next Page >


Page 68 of 315
PDF/HTML Page 92 of 339

 

૭૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

सम्यग्दर्शनस्य संसारोच्छेदसाधनेऽष्टाङ्गोपेतत्वं युक्तमेव, त्रिमूढापोढत्ववत्

कानि पुनस्तानि त्रीणि मूढानि यदमूढत्वं तस्य संसारोच्छेदसाधनं स्यादिति चेदुच्यते, लोकदेवतापाखंडिमूढभेदात् त्रीणि मूढानि भवन्ति तत्र लोकमूढं तावद्दर्शयन्नाह

आपगासागरस्नानमुच्चयः सिकताश्मनाम्
गिरिपातोऽग्निपातश्च लोकमूढं निगद्यते ।।२२।।

‘लोकमूढं’ लोकमूढत्वं किं ? ‘आपगासागरस्नानं’ आपगा नदी सागरः समुद्रः तत्र દૂર કરવાને યોજેલો એક પણ ઓછા અક્ષરવાળો મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો જ નથી. તેથી સમ્યગ્દર્શનને સંસારઉચ્છેદના સાધનભૂત થવામાં અષ્ટાંગસહિતપણું યોગ્ય જ છે. તેના ત્રિમૂઢતારહિતપણાની માફક.

ભાવાર્થ :જેમ એક પણ અક્ષરહીન મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો નથી, તેમ આઠ અંગ રહિત સમ્યગ્દર્શન જન્મમરણની પરંપરાનો નાશ કરી શકતું નથી. અર્થાત્ અંગરહિત સમ્યગ્દર્શનથી સંસારનો નાશ થઈ શકતો નથી; આઠ અંગ સહિત સમ્યગ્દર્શન જ તેનો નાશ કરી શકે છે. ૨૧.

પ્રશ્નઃકઈ તે ત્રણ મૂઢતા છે કે જેના રહિતપણાથી સમ્યગ્દર્શન સંસારઉચ્છેદનું સાધન થાય છે?

ઉત્તરઃત્રણ મૂઢતા આ પ્રમાણે છેલોકમૂઢતા, દેવમૂઢતા અને પાખંડીમૂઢતા. ત્યાં પ્રથમ લોકમૂઢતા દર્શાવતાં કહે છેઃ

લોકમૂઢતાલોકમૂઢતા
શ્લોક ૨૨
શ્લોક ૨૨

અન્વયાર્થ :[आपगासागरस्नानं ] (ધર્મ સમજીને) નદીસમુદ્રમાં સ્નાન કરવું, [सिकताश्मनाम् ] રેતી અને પથ્થરોનો [उच्चयः ] ઢગલો કરવો (મિનારો બનાવવો), [गिरिपातः ] પર્વત ઉપરથી પડવું [च ] અને [अग्निपातः ] અગ્નિમાં પડવું (સતી થવું)તે [लोकमूढं ] લોકમૂઢતા [निगद्यते ] કહેવાય છે.

आपगासागरस्नानं’ आपगा

ટીકા :लोकमूढं’ તે લોકમૂઢતા છે. તે શું છે?