કહાનજૈનશાસ્ત્રમાળા ]
श्रेयःसाधनाभिप्रायेण यत्स्नानं न पुनः शरीरप्रक्षालनाभिप्रायेण । तथा ‘उच्चयः’ स्तूपविधानं । केषां ? ‘सिकताश्मनां’ सिकता वालुका, अश्मानः पाषाणास्तेषां । तथा ‘गिरिपातो’ भृगुपातादिः । ‘अग्निपातश्च’ अग्निप्रवेशः । एवमादि सर्वं लोकमूढं ‘निगद्यते’ प्रतिपाद्यते ।।२२।।
देवतामूढं व्याख्यातुमाह —
નદી અને सागर – સમુદ્ર, તેમાં ‘કલ્યાણનું સાધન છે’ એવા અભિપ્રાયથી, નહિ કે શરીરનું પ્રક્ષાલન કરવાના અભિપ્રાયથી સ્નાન કરવું, તથા ‘उच्चयः’ સ્તૂપ મિનારો કરવો. કોનો? ‘सिकताश्मनां’ सिकता – રેતી, अश्मानः – પથ્થર – તેમનો (ઢગલો કરવો) તથા ‘गिरिपातः’ ભૃગુપ્રપાતાદિ (પર્વત પરથી પડવું વગેરે), ‘अग्निपातश्च’ અગ્નિમાં પ્રવેશ કરવો — એ આદિ સર્વ લોકમૂઢતા ‘निगद्यते’ કહેવાય છે.
ભાવાર્થ : — ધર્મ સમજીને નદી અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથ્થરોનો ઢગલો કરી તેને દેવ માનીને પૂજવું, સ્વર્ગ મળશે એમ માની પર્વત પરથી પડવું અને સતી થવાના અભિપ્રાયથી અગ્નિમાં ઝંપલાવવું વગેરે — એ બધું ધર્મ સમજીને કરવું તેને લોકમૂઢતા કહે છે. ૨૨.
દેવમૂઢતાનું વ્યાખ્યાન કરવા માટે કહે છે —
અન્વયાર્થ : — [वरोपलिप्सया ] વરદાન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી (ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છાથી) [आशावान् ] (ઐહિક સુખની) આશાવાળો પુરુષ [यद् ] જે [रागद्वेषमलीमसाः ] રાગ-દ્વેષથી મલિન [देवताः ] દેવતાઓની [उपासीत ] ઉપાસના કરે છે, તેને [देवतामूढं ] દેવમૂઢતા [उच्यते ] કહે છે.
જેનામાં સાચા દેવનાં લક્ષણો – વીતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશીપણું — એ ત્રણે