Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 70 of 315
PDF/HTML Page 94 of 339

 

૮૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

લક્ષણો ન હોય તે અદેવ છેકુદેવ છે. તે કોઈ પણ રીતે જીવને હિતકર્તા નથી, છતાં તેને ભ્રમથી હિતકર્તા માની તેનું સેવન કરવું, તે મિથ્યાત્વ છે.

મિથ્યાદ્રષ્ટિ જીવ ત્રણ પ્રકારના પ્રયોજનથી તેની ઉપાસના કરે છે. કોઈ તેની ઉપાસનાને મોક્ષનું કારણ જાણીને તેને સેવે છે, પણ તેથી મોક્ષ થતો નથી, કારણ કે મિથ્યાભાવયુક્ત ઉપાસના મોક્ષનું કારણ કેમ હોઈ શકે?

કેટલાક જીવો પરલોકમાં ‘સુખ થાયદુઃખ ન થાય’ એવા પ્રયોજનથી કુદેવને સેવે છે, પણ તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતાં અને પાપ ન ઉપજાવતાં થાય છે. પણ પોતે તો પાપ ઉપજાવે અને કહે કે‘‘ઈશ્વર મારું ભલું કરશે.’’ પણ એ તો એનો ભ્રમ છે, કારણ કે જીવ જેવો પરિણામ કરશે તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલુંબૂરું કરવાવાળો ઈશ્વર કોઈ છે જ નહિ; તેથી કુદેવોના સેવનથી પરલોકમાં ભલુબૂરું થતું નથી.

‘‘વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિ નાશ, ધનાદિની પ્રાપ્તિ તથા પુત્રાદિકની પ્રાપ્તિ ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા યા સુખ પામવાના અનેક પ્રયોજન પૂર્વક એ કુદેવાદિકનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ......શીતળા, દહાડી, ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્યચંદ્ર, શનિશ્ચરાદિ, જ્યોતિષીઓને, પીરપેગંબરાદિકોને, ગાય ઘોડાદિ તિર્યંચોને, અગ્નિજલાદિકને તથા શસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ? રોડાં ઇત્યાદિકને પણ પૂજે છે; પરંતુ એવા કુદેવોનું સેવન મિથ્યાદ્રષ્ટિથી જ થાય છે, કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પના માત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય? વળી કોઈ વ્યંતરાદિક છે પણ તે કોઈનું ભલુંબૂરું કરવા સમર્થ નથી. જો તેઓ સમર્થ હોય તો તેઓ પોતે જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક આપી શકતા નથી, તથા દ્વેષી થઈ બૂરું કરી શકતા નથી.....’’ પણ જીવના પુણ્યપાપથી સુખદુઃખ થાય છે, એટલે તેમને માનવા પૂજવાથી તો ઊલટો રાગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી....... * આ શ્લોક નીચેની સંસ્કૃત ટીકા આગમયુક્ત નથી, એમ શેઠ માણિકચંદજી ગ્રંથમાળા પુષ્પ નં.

૨૪ પ્રસ્તાવના પાના નં. ૬૯માં સ્પષ્ટ લખ્યું છે. તેનું તે કથન યોગ્ય છે માટે તે લીધી નથી.
(શ્રી રામજીભાઈ માણેકચંદ વકીલ, સોનગઢ.)

૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય ૬, પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૮.