Samadhitantra (Gujarati). Gatha: 46.

< Previous Page   Next Page >


Page 72 of 170
PDF/HTML Page 101 of 199

 

સમાધિતંત્ર૮૫

भूयो भ्रान्तिं गतोऽसौ कथं तां त्यजेदित्याह

अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः
क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यतः ।।४६।।

टीकाइदं शरीरादिकं दृश्यमिन्द्रियैः प्रतीयमानं अचेतनं जडं रोषतोषादिकं कृतं न जानातीत्यर्थः यच्चेतनमात्मस्वरूपं तददृश्यमिन्द्रियग्राह्यं न भवति ततः यतो रोषतोषविषयं दृश्यं शरीरादिकमचेतनं चेतनं स्वात्मस्वरूपमदृश्यत्वात्तद्विषयमेव न भवति ततः क्व रुष्यामि क्व રાગદ્વેષ થઈ જાય છે, તેથી તેને જ્ઞાનચેતના સાથે કદાચિત્ કર્મચેતના અને કર્મફલચેતનાનો પણ સદ્ભાવ માનવામાં આવ્યો છે, પણ તે કર્મચેતના અને કર્મફળચેતનાનો જ્ઞાતાદ્રષ્ટા રહે છે. વાસ્તવમાં તે બંને ચેતનાઓ જ્ઞાનચેતના જ છે.

અંતરાત્માને પૂર્વના સંસ્કારોને લીધે નીચેની ભૂમિકામાં જે ભ્રાન્તિ થાય છે તે મિથ્યાત્વજનિત નથી, પરંતુ અસ્થિરતાજનિત છે; તેથી તેને રાગદ્વેષ થવા છતાં તેના સમ્યક્ત્વમાં કાંઈ દોષ આવતો નથી. ૪૫.

ફરીથી ભ્રાન્તિ પામેલો તે (અન્તરાત્મા) તેને (ભ્રાન્તિને) કેવી રીતે છોડે તે કહે છેઃ

શ્લોક ૪૬

અન્વયાર્થ : (इदं दृश्यं) આ શરીરાદિ દ્રશ્ય પદાર્થ (अचेतनं) ચેતનારહિતજડ છે અને જે (चेतनं) ચૈતન્યસ્વરૂપ આત્મા છે તે (अदृश्यं) ઇન્દ્રિયોદ્વારા દેખાય તેવો નથી; (ततः) તેથી (क्व रुष्यामि) હું કોના ઉપર રોષ કરું? અને (क्व तुष्यामि) કોના ઉપર રાજી થાઉં? (अतः अहं मध्यस्थः भवामि) એટલા માટે હું મધ્યસ્થ થાઉં છુંએમ અન્તરાત્મા વિચારે છે.

ટીકા : આ એટલે શરીરાદિક, જે દ્રશ્ય એટલે ઇન્દ્રિયોદ્વારા દેખાવા યોગ્ય છે પ્રતીતિમાં આવવા યોગ્ય છે, તે અચેતનજડ છે; તે કરેલા રોષતોષાદિકને જાણતું નથી એવો અર્થ છે. જે ચેતનસ્વાત્મસ્વરૂપ છે, તે અદ્રશ્ય છે એટલે ઇન્દ્રિયોદ્વારા ગ્રાહ્ય નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉપર તોષ કરું? કારણ કે દ્રશ્ય શરીરાદિક અચેતન ૧. જુઓશ્રી પંચાધ્યાયીઉત્તરાર્દ્ધ ગુ. આવૃત્તિગાથા ૨૦૫, ૨૭૬, ૪૧૯

દ્રશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દ્રષ્ટ;
રોષ કરું ક્યાં? તોષ ક્યાં? ધરું ભાવ મધ્યસ્થ. ૪૬.