Samadhitantra (Gujarati). Gatha: 47.

< Previous Page   Next Page >


Page 73 of 170
PDF/HTML Page 102 of 199

 

૮૬સમાધિતંત્ર तुष्याम्यहं अतः यतो रोषतोषयोः कश्चिदपि विषयो न घटते अतः मध्यस्थ उदासीनोऽहं भवामि ।।४६।।

इदानीं मूढत्मनोऽन्तरात्मनश्च त्यागोपादानविषयं प्रदर्शयन्नाह

त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित्
नान्तर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ।।४७।।

છે અને ચેતનઆત્મસ્વરૂપ અદ્રશ્ય છે, માટે હું મધ્યસ્થઉદાસીન થાઉં છું, કારણ કે રોષ તોષનો વિષય કોઈપણ ઘટતો નથી.

ભાવાર્થ : પૂર્વના ચારિત્ર સંબંધી ભ્રાન્તિરૂપ સંસ્કારો જાગૃત થાય છે ત્યારે અંતરાત્મા સમાધાનરૂપે વિચારે છે કે, ‘‘શરીરાદિક પદાર્થો જે દ્રષ્ટિગોચર છે તે અચેતન છેજડ છે; તેના ઉપર હું રાગદ્વેષ કરું તો તે વ્યર્થ છે. આત્મા જે ચેતન છે, રાગદ્વેષભાવને જાણી શકે છે, તે તો અદ્રશ્ય છેદ્રષ્ટિગોચર નથી, તેથી તે પણ મારા રાગદ્વેષનો વિષય બની શકતો નથી; માટે કોઈના ઉપર રાગદ્વેષ નહિ કરતાં, સર્વ બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈ મધ્યસ્થ (વીતરાગી) ભાવ ધારણ કરવો યોગ્ય છે, અર્થાત્ પર પ્રત્યે ઉદાસીનતા સેવી, તેના કેવળ જ્ઞાતાદ્રષ્ટા રહી, આત્મતત્ત્વને જ જ્ઞાનનો વિષય બનાવવો અને તેમાં જ સ્થિર થવું તે ઉચિત છે.’’

જ્ઞાનીને અલ્પ રાગદ્વેષ થાય પણ ભેદજ્ઞાનના બળે તે ઉપર પ્રમાણે અંદર સમાધાન કરી પોતાના જ્ઞાનના વિષયને તુરત પલટી નાખે છે અને જ્ઞાનાનંદસ્વરૂપને જ જ્ઞાનનો વિષય બનાવે છે. તેની વારંવાર ભાવના ભાવતાં રાગદ્વેષની વૃત્તિ સ્વયં ક્રમે ક્રમે ટળી જાય છે. ૪૬.

હવે બહિરાત્મા અને અન્તરાત્માના ત્યાગગ્રહણના વિષયને સ્પષ્ટ કરતાં કહે છેઃ

શ્લોક ૪૭

અન્વયાર્થ : (मूढः) મૂર્ખ બહિરાત્મા (बहिः) બાહ્ય પદાર્થોનો (त्यागादाने करोति) ત્યાગ અને ગ્રહણ કરે છે, (आत्मवित्) આત્માના સ્વરૂપને જાણનાર અન્તરાત્મા (अध्यात्मं

મૂઢ બહિર ત્યાગે-ગ્રહે, જ્ઞાની અંતરમાંય;
નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતર્બાહ્ય. ૪૭.