Samadhitantra (Gujarati). Gatha: 48.

< Previous Page   Next Page >


Page 75 of 170
PDF/HTML Page 104 of 199

 

૮૮સમાધિતંત્ર

अन्तस्त्यागोपादाने वा कुर्वाणोऽन्तरात्मा कथं कुर्यादित्याह
युञ्जीत मनसाऽऽत्मानं वाक्कायाभ्यां वियोजयेत्
मनसा व्यवहारं तु त्यजेद्वाक्काययोजितम् ।।४८।।
टीकाआत्मानं युञ्जीत सम्बद्धं कुर्यात् केन सह ? मनसा मानसज्ञानेन
વિશેષ

બહિરાત્માને અંદરના ચૈતન્યતત્ત્વનું જ્ઞાન નથી. તેને સ્વપરનું ભેદજ્ઞાન નથી; જે બાહ્ય પદાર્થો દેખે છે તેની સાથે એકતાબુદ્ધિ કરે છે. તેમાં ઇષ્ટઅનિષ્ટની કલ્પના કરી રાગ દ્વેષભાવથી તેનાં ગ્રહણત્યાગ કરવા ઝંખે છે, પરંતુ બાહ્ય પદાર્થોનાં ગ્રહણત્યાગ તેને આધીન નથી. તે પદાર્થો તો પોતાના કારણે આવે છે અને જાય છે. ઊંધી માન્યતાને લીધે તેનાં બાહ્ય ગ્રહણત્યાગ રાગદ્વેષગર્ભિત છે. તેના અભિપ્રાયમાં આત્મસ્વભાવનો ત્યાગ અને વિભાવ તથા પરભાવોનું ગ્રહણ છે.

અંતરાત્માને અભિપ્રાયમાંમાન્યતામાં પર પદાર્થોનાં ગ્રહણત્યાગ જ નથી. અસ્થિરતાને લીધે થોડી રાગદ્વેષની વૃત્તિ ઊઠે, પણ તેને તેની સાથે એકતા નથીસ્વામીપણું નથી. આ વૃત્તિ પણ, આત્મસ્વરૂપનું ગ્રહણ થતાંતેમાં સ્થિર થતાં, સ્વયં શમી જાય છે નષ્ટ થાય છે. ૪૭.

અંતરમાં ત્યાગગ્રહણ કરનાર અન્તરાત્મા કેવી રીતે કરે તે કહે છેઃ

શ્લોક ૪૮

અન્વયાર્થ : અંતરાત્મા (आत्मानं) આત્માને (मनसा) ભાવમન સાથે (युञ्जीत) યોજે (જોડે) અને (वाक्कायाभ्याम्) વચન અને કાયાથી (वियोजयेत्) અલગ કરે (तु) અને (वाक्काययोजितम्) વાણી અને કાયાથી યોજાયેલા (व्यवहार) વ્યવહારને (मनसा) ભાવમનથી (त्यजेत्) તજે અર્થાત્ તેમાં મન લગાવે નહિ.

ટીકા : (તે અન્તરાત્મા) આત્માને યોજે એટલે સંબંધ કરે, કોની સાથે? મન સાથે એટલે માનસજ્ઞાન (ભાવમન) સાથે, ‘મન તે આત્મા છે’ એવો અભેદરૂપ અધ્યવસાય (માન્યતા) કરે,

જોડે મન સહ આત્મને, વચ-તનથી કરી મુક્ત,
વચ-તનકૃત વ્યવહારને છોડે મનથી સુજ્ઞ. ૪૮.