Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 76 of 170
PDF/HTML Page 105 of 199

 

સમાધિતંત્ર૮૯

चित्तमात्मेत्यभेदेनाध्यवसेदित्यर्थः वाक्कायाभ्यां तु पुनर्वियोजयेत् पृथक्कुर्यात् वाक्काययोरात्माभेदाध्यवसायं न कुर्यादित्यर्थः एतच्च कुर्वाणो व्यवहारं तु प्रतिपाद्यप्रतिपादकभावलक्षणं प्रवृत्तिनिवृत्तिरूपं वा वाक्काययोजितं वाक्कायाभ्यां योजितं सम्पादितं केन सह ? मनसा सह मनस्यारोपितं व्यवहारं मनसा त्यजेत् चित्तेन न चिन्तयेत् ।।४८।।


એવો અર્થ છેઅને વાણી તથા કાયથી તેને (આત્માને) વિયુક્ત કરેપૃથક્ કરે, અર્થાત્ વાણી અને કાયામાં આત્માનો અભેદરૂપ અધ્યવસાય કરે નહિએવો અર્થ છે; અને તેમ કરનાર, વાક્ કાયયોજિત અર્થાત્ વાણીકાયદ્વારા યોજિત અર્થાત્ સમ્પાદિત ‘પ્રતિપાદ્ય’ પ્રતિપાદકભાવરૂપ (શિષ્ટગુરુ સંબંધરૂપ) પ્રવૃત્તિનિવૃત્તિરૂપ વ્યવહારને, કોની સાથે (યોજિત)? મન સાથે અર્થાત્ મનમાં આરોપિત વ્યવહારને, મનથી તજે અર્થાત્ મનમાં ચિંતવે નહિ.

ભાવાર્થ : અંતરાત્મા ભાવમનને વાણી અને દેહની ક્રિયા તરફથી (પ્રવૃત્તિથી) વિયુક્ત કરીનેઅલગ કરીને આત્મસ્વરૂપમાં લગાડે અર્થાત્ તેની સાથે અભેદ કરેતલ્લીન કરે અને વાણી તથા કાયદ્વારા યોજિત પ્રવૃત્તિનિવૃત્તિરૂપ વ્યવહારને મનમાંથી તજે અર્થાત્ તેનો વિચાર છોડી દે.

વિશેષ

વાણીકાયની પ્રવૃત્તિ તે જડની ક્રિયા છે, આત્મા તે કરી શકતો નથી. અન્તરાત્માને ભેદજ્ઞાન છે, તેથી તે પોતાના ઉપયોગને વાણીકાયની ક્રિયા તરફથી હઠાવી પોતાના આત્મસ્વરૂપમાં રોકે છે.

જ્યાં સુધી જીવ વચનકાયથી ક્રિયા સાથે એકતાબુદ્ધિ કરેતેને આત્માની ક્રિયા સમજે, ત્યાં સુધી તેનો ઉપયોગ ત્યાંથી છૂટી સ્વસન્મુખ વળે નહિ અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય નહિ.

ઉપયોગદ્વારા સ્વનું ગ્રહણ કરવામાં જ સમસ્ત પરદ્રવ્યોનો અને પરભાવોનો સ્વયં ત્યાગ થઈ જાય છે.

નીચલી ભૂમિકામાં જ્ઞાનીનો ઉપયોગ કદાચિત્ અસ્થિરતાને લીધે વાણી કાયની ક્રિયાદ્વારા પર સાથેના વ્યવહારમાં જોડાય છે, પણ તેમાં તેને કર્તૃત્વબુદ્ધિનો અભાવ છે અભિપ્રાયમાં તેનો નિષેધ છે. જેમ રોગીને કડવી દવા પ્રત્યે અરુચિ હોય છે, તેમ તેને તે પ્રત્યે ઉદાસીનતા હોય છે; તેથી જ્ઞાનીનો ઉપયોગ શરીરાદિની ક્રિયામાં જોડાયેલો દેખાય, છતાં તે નહિ જોડાયેલા સમાન છે.

શરીરવાણીની ક્રિયા વિષે એકતા બુદ્ધિનોઆત્મબુદ્ધિનો ત્યાગ અને શુદ્ધાત્મસ્વરૂપનું ગ્રહણ તે અંતરાત્માનાં અંતરંગ ત્યાગ ગ્રહણ છે.