Samadhitantra (Gujarati). Gatha: 49.

< Previous Page   Next Page >


Page 77 of 170
PDF/HTML Page 106 of 199

 

૯૦સમાધિતંત્ર

ननु पुत्रकलत्रादिना सह वाक्कयव्यवहारे तु सुखोत्पत्तिः प्रतीयते कथं तत्त्यागो युक्त इत्याह

जगद्देहात्मदृष्टिना विश्वास्यं रम्यमेव च
स्वात्मन्येवात्मदृष्टिनां क्व विश्वासः क्व वा रतिः ।।४९।।

टीकादेहात्मदृष्टिनां बहिरात्मनां जगत् पुत्रकलत्रादिप्राणिगणो विश्वास्यमवञ्चकं रम्यमेव च रमणीयमेव प्रतिभाति स्वात्मन्येव स्वस्वरूपे एवात्मदृष्टिनां अन्तरात्मनां क्व विश्वासः क्व वा रतिः ? न क्वापि पुत्रकलत्रादौ तेषां विश्वासो रतिर्वा प्रतिभातीत्यर्थः ।।४९।।

અહીં વ્યવહારના ત્યાગનો આચાર્યે નિર્દેશ કર્યો છે. તે એમ સૂચવે છે કે આત્મકાર્ય માટે વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. ૪૮.

પુત્રસ્ત્રી આદિ સાથેના વાણીકાયના વ્યવહારમાં તો સુખની ઉત્પત્તિની પ્રાપ્તિ થાય છે, તો તેનો (વ્યવહારનો) ત્યાગ કેવી રીતે યોગ્ય છે? તે કહે છેઃ

શ્લોક ૪૯

અન્વયાર્થ : (देहात्मदृष्टिनां) દેહમાં આત્મબુદ્ધિ રાખનાર મિથ્યાદ્રષ્ટિ બહિરાત્માઓને (जगत्) સ્ત્રીપુત્રમિત્રાદિના સમૂહરૂપ જગત્ (विश्वास्यं) વિશ્વાસ કરવા યોગ્ય (च) અને (रम्यं एव) રમણીય જ ભાસે છે. પરંતુ (स्वात्मनि एवात्मदृष्टिनां) પોતાના આત્મામાં જ આત્મદ્રષ્ટિ રાખનાર સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્માને (क्व विश्वासः) સ્ત્રીપુત્રાદિરૂપ જગત્માં કેમ વિશ્વાસ હોઈ શકે? (वा) અથવા (क्व रतिः) કેમ રતિ હોઈ શકે? કદી પણ નહિ.

ટીકા : દેહમાં આત્મદ્રષ્ટિવાળા બહિરાત્માઓને પુત્રભાર્યાદિ પ્રાણીસમૂહરૂપ જગત્ વિશ્વાસ કરવા યોગ્ય અર્થાત્ અવંચક (નહિ ઠગનારું) તથા રમ્ય જ એટલે રમણીય જ પ્રતિભાસે છે.

સ્વાત્મામાં જ એટલે સ્વસ્વરૂપમાં જ આત્મદ્રષ્ટિવાળા અન્તરાત્માઓને વિશ્વાસ ક્યાં કે રતિ ક્યાં? તેમને પુત્રસ્ત્રી આદિમાં ક્યાંય પણ વિશ્વાસ કે રતિ પ્રતિભાસતી નથીએવો અર્થ છે.

દેહાતમધી જગતમાં કરે રતિ વિશ્વાસ;
નિજમાં આતમદ્રષ્ટિને ક્યમ રતિ? ક્યમ વિશ્વાસ? ૪૯.