Samadhitantra (Gujarati). Gatha: 50.

< Previous Page   Next Page >


Page 78 of 170
PDF/HTML Page 107 of 199

 

સમાધિતંત્ર૯૧
नन्वेवमाहारादावप्यन्तरात्मनः कथं प्रवृत्तिः स्यादित्याह
आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेच्चिरम्
कुर्यादर्थवशात्किंचिद्वाक्कायाभ्यामतत्परः ।।५०।।

ભાવાર્થ : જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સ્ત્રીપુત્રમિત્રાદિરૂપ જગત્ જ વિશ્વાસયોગ્ય અને રમ્યસુખદાયક લાગે છે અને તેથી તે તેમની સાથે વાણી કાયનો વ્યવહાર કરવાનો વિકલ્પ કરે છે.

જ્ઞાનીને સ્ત્રીપુત્રાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, તેમાં તેને વાસ્તવિક સુખ ભાસતું નથી અને તે વિશ્વાસયોગ્ય તથા રમણીય લાગતા નથી, તેથી તેને તેમની સાથે વચન વ્યવહાર અને શરીરવ્યવહારનો, અભિપ્રાયમાં, ત્યાગ વર્તે છે. આત્મા જ તેને વિશ્વાસ કરવા યોગ્ય અને રમ્ય જણાય છે અને તેમાં જ વાસ્તવિક સુખ ભાસે છે. તેથી તે જગતના પદાર્થોમાં સુખ હોવાનો વિશ્વાસ કેમ કરે? ન જ કરે.

વિશેષ

અજ્ઞાની બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ માની તેનો વિશ્વાસ કરે છે, પણ તે સંયોગો પલટતાં યા તેનો વિયોગ થતાં તેના કલ્પેલા સુખનો અંત આવે છે. એ રીતે બાહ્ય સંયોગોના વિશ્વાસે તે છેતરાયઠગાય છે. વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ લાગતા સંયોગોમાં ક્યાંય સુખ નથી, છતાં તેમાં સુખ માની ઠગાઈ જાય છે.

જ્ઞાનીને પોતાનો આત્મા જ ઇષ્ટ છેવહાલો છે. તેને જગતજગતના પદાર્થો વહાલા સુખરૂપ લાગતા નથી. સમકિતી ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને હજારો રાણીઓ વગેરેનો સંયોગ હોય છે, પણ તેમાં તેને સુખ માટે સ્વપ્નેય વિશ્વાસ નથી. તેને તો પોતાના ચૈતન્યાત્માનો જ વિશ્વાસ છે અને તેમાં જ સુખ ભાસે છે. તેને ‘જગત ઇષ્ટ નહિ આત્મથી.’ ૪૯.

એવી રીતે હોય તો આહારાદિમાં પણ અન્તરાત્માની પ્રવૃત્તિ કેમ થાય? તે કહે છેઃ

શ્લોક ૫૦

અન્વયાર્થ : અન્તરાત્મા (आत्मज्ञानात् परं) આત્મજ્ઞાનથી ભિન્ન (कार्यं) કોઈ કાર્યને

આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચિર નહિ હોય;
કારણવશ કંઈ પણ કરે ત્યાં બુધ તત્પર નો’ય. ૫૦.
૧૪