Samadhitantra (Gujarati). Samadhitantra Gathas 51 to 75: Gatha: 51.

< Previous Page   Next Page >


Page 80 of 170
PDF/HTML Page 109 of 199

 

સમાધિતંત્ર૯૩
कुतः पुनरात्मज्ञानमेव बुद्धौ धारयेन्नशरीरादिकमित्याह
यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः
अन्तः पश्यामि सानन्दं तदस्तु ज्योतिरुत्तमम् ।।५१।।

टीकायच्छरीरादिकमिन्द्रियैः पश्यामि तन्मे नास्ति मदीयं रूपं तन्न भवति तर्हि किं तव रुपम् ? तदस्तु ज्योतिरुत्तमं ज्योतिर्ज्ञानमुत्तममतीन्द्रियम् तथा सानन्दं

જ્ઞાનીને બાહ્ય વચનકાયની પ્રવૃત્તિ હોવા છતાં, તેને અંતરંગમાં દ્રઢ માન્યતા છે કેઃ

‘‘હું દેહમનવાણી નથી, હું તેમનો કર્તા નથી, તેમનો કરાવનાર નથી કે અનુમોદનાર નથી......હું કર્તા વિના પણ તેઓ ખરેખર કરાય છે; માટે તેમના કર્તાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.’’

સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને જ્ઞાનચેતનાનું નિરંતર પરિણમન હોય છે, તેથી તે ખાવાપીવામાં, પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં, વ્યાપારમાં લડાઈ વગેરે સંસારના કાર્યોમાં, બાહ્યદ્રષ્ટિએ રોકાયેલા લાગે, છતાં બધી બાહ્ય પ્રવૃત્તિમાં તે જલકમલવત્ ન્યાયે રહે છે. ૫૦.

અનાસક્ત (અંતરાત્મા) આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે, શરીરાદિકને નહિ, એમ કેમ બને? તે કહે છેઃ

શ્લોક ૫૧

અન્વયાર્થ : (यत्) જે એટલે શરીરાદિ બાહ્ય પદાર્થ (इन्द्रियैः) ઇન્દ્રિયોદ્વારા (पश्यामि) હું દેખું છું (तत्) તે (मे न अस्ति) મારા નથીમારું સ્વરૂપ નથી, પણ (नियतेन्द्रियः) ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી (यत्) જે (उत्तमं) ઉત્કૃષ્ટ અતીન્દ્રિય (सानन्दं ज्योति) આનંદમય જ્ઞાનજ્યોતિને (अन्तः) અંતરંગમાં (पश्यामि) હું દેખું છુંતેનો અનુભવ કરું છું, (तत् मे) તે મારું વાસ્તવિક સ્વરૂપ (अस्तु) હો!

ટીકા : જે એટલે શરીરાદિને હું ઇન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી અર્થાત્ તે મારું સ્વરૂપ નથી. તો તારું રૂપ શું? તે ઉત્તમ જ્યોતિ હોજ્યોતિ એટલે જ્ઞાન અને ઉત્તમ એટલે ૧. જુઓશ્રી પ્રવચનસારગુ. આવૃત્તિગાથા ૧૬૦ અને ટીકા.

ઇન્દ્રિદ્રશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ,
અંતર જોતાં સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ. ૫૧.