Samadhitantra (Gujarati). Gatha: 53.

< Previous Page   Next Page >


Page 83 of 170
PDF/HTML Page 112 of 199

 

૯૬સમાધિતંત્ર

तद्भावना चेत्थं कुर्यादित्याह
तद्ब्रूयात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत्
येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ।।५३।।

टीकातत् आत्मस्वरूपं ब्रूयात् परं प्रति प्रतिपादयेत् तदात्मस्वरूपं परान् विदितात्मस्वरूपान् पृच्छेत् तथा तदात्मस्वरूपं इच्छेत् परमार्थतः सन् मन्येत् तत्परो भवेत्

આત્મભાવનાનો અભ્યાસ જ્યારે તેને પરિપક્વ થાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થાય છે, ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. હવે તેને બાહ્ય વિષયો બધા નીરસ લાગે છે; તેને તે ઉપરથી રુચિ ઊઠી જાય છે અને આત્મસ્વરૂપમાં જ વિહરવું ગમે છે.

માટે શ્રી અમૃતચંદ્રાચાર્ય પણ જિજ્ઞાસુ જીવને ઉદ્દેશીને કહે છેઃ

‘‘હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થા અને શરીરાદિક મૂર્ત દ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ, તેમનાથી ભિન્ન એવા તારા આત્માનો અનુભવ કર; તારા આત્માના ચૈતન્યવિલાસને દેખતાં જ આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલો દ્રવ્યો સાથે એકપણાનો તારો મોહ છૂટી જશે.’’ ૫૨.

તે ભાવના આ રીતે કરવીતે કહે છેઃ

શ્લોક ૫૩

અન્વયાર્થ :(तत् ब्रूयात्) તે એટલે આત્મસ્વરૂપની વાત કરવી, (तत् परान् पृच्छेत्) તે સંબંધી આત્માનુભવી પુરુષોને પૂછવું, (तत् इच्छेत्) તેની ઇચ્છા કરવીતેની પ્રાપ્તિને પોતાનું ઇષ્ટ બનાવવું અને (तत्परः भवेत्) તેમાં એટલે આત્મસ્વરૂપની ભાવનામાં તત્પરસાવધાન રહેવું, (येन) જેથી (अविद्यामयं रूपं) અજ્ઞાનમય બહિરાત્મરૂપનો (त्यक्त्वा) ત્યાગ કરીને (विद्यामयं व्रजेत्) જ્ઞાનમયરૂપની એટલે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાય.

ટીકા :તે આત્મસ્વરૂપ કહેવું એટલે બીજાને સમજાવવું; બીજાઓને એટલે જેમણે આત્મસ્વરૂપ જાણ્યું હોય તેમને તે આત્મસ્વરૂપ પૂછવું તથા તે આત્મસ્વરૂપની ઇચ્છા કરવી અર્થાત્ પરમાર્થસ્વરૂપે તેને માનવું, તેમાં તત્પર રહેવું અર્થાત્ આત્મસ્વરૂપની ભાવનાનો આદર ૧. જુઓઃ શ્રી સમયસારકલશ ૨૩

તત્પર થઈ તે ઇચ્છવું, કથન-પૃચ્છના એ જ;
જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યાતેજ. ૫૩.