Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 170
PDF/HTML Page 113 of 199

 

સમાધિતંત્ર૯૭

आत्मस्वरूपभावनादरपरो भवेत् येनात्मस्वरूपेणेत्थं भावितेन अविद्यामयं स्वरूपं बहिरात्मस्वरूपम् त्यक्त्वा विद्यामयं रूपं व्रजेत् ।।५३।।


કરવો; જેથી, એટલે આવી રીતે આત્મસ્વરૂપની ભાવના કરવાથી, અવિદ્યામય સ્વરૂપનો એટલે બહિરાત્મસ્વરૂપનો ત્યાગ કરીને વિદ્યામય રૂપ એટલે કે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરાય.

ભાવાર્થ :આત્મસ્વરૂપની ભાવના કેવી રીતે કરવી? તે પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય આત્માર્થીને ઉદ્દેશીને કહે છે કેઃ

આત્મસ્વરૂપ બીજાઓને સમજાવવું, જેમણે આત્મસ્વરૂપ જાણ્યું છે તેમને તેના જ વિષે પૂછી તે જાણવું, તેની જ ઇચ્છા રાખવી અર્થાત્ તેને એકને જ પરમાર્થ સત્ય માનવું અને આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર લાગ્યા રહેવું. આમ કરવાથી બહિરાત્મસ્વરૂપનો અવિદ્યામય સ્વરૂપનો નાશ થશે. પરમાત્મસ્વરૂપની એટલે જ્ઞાનમય સ્વરૂપની પ્રાપ્તિ થશે.

વિશેષ

(૧) આત્મા સંબંધી જ વાત કર, સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર. તેમ કરવાથી બહારમાં ભમતો તારો ઉપયોગ તત્ત્વનિર્ણય તરફ વળશે.

(૨) આત્મા સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછ; તેથી આત્મા સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ થઈને દ્રઢ થશે અને જ્ઞાન નિર્મળ થશે.

(૩) આત્મપ્રાપ્તિની જ ભાવના કર, બીજા કોઈ પર પદાર્થની કે ઇન્દ્રિયવિષયના સુખની ઇચ્છા ન કર; એમ કરવાથી બાહ્ય ઇન્દ્રિયસુખની પાછળ થતી નિરર્થક આકુળતા મટી જશે.

(૪) આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર અભિરત બન. આવી રીતે જ્ઞાનમાં, શ્રદ્ધામાં અને આચારમાં એક આત્માને જ વિષય બનાવ; બીજા કોઈ બાહ્ય પદાર્થને તારા જ્ઞાનનો વિષય ન બનાવ. શ્રીમદ્ રાજચન્દ્રે કહ્યું છે કેઃ

‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ.’

આત્મા જ એક પ્રયોજનભૂત વસ્તુ છે. તેની પ્રાપ્તિ જ કરવા યોગ્ય છે. તે સિવાય અન્ય પદાર્થોનો વિચાર મનના રોગ સમાન છે.

એવી રીતે સમજીને ધગશ અને ઉત્સાહપૂર્વક જો તું આત્મભાવના કરીશ, તો અવિદ્યાનોઅજ્ઞાનતાનો નાશ થશે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે. ૧. જુઓશ્રીમદ્ રાજચંદ્રકૃત ‘આત્મસિદ્ધિ’.