Samadhitantra (Gujarati). Gatha: 54.

< Previous Page   Next Page >


Page 85 of 170
PDF/HTML Page 114 of 199

 

૯૮સમાધિતંત્ર

ननु वाक्यायव्यतिरिक्तस्यात्मनोऽसम्भवात् तद्ब्रूयादित्याद्ययुक्तमिति वदन्तं प्रत्याह
शरीरे वाचि चात्मानं सन्धत्ते वाक्शरीरयोः
भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषांनिबुध्यते ।।५४।।

‘‘તે જ્ઞાનસ્વભાવરૂપ જ્યોતિ અવિદ્યાનોઅજ્ઞાનનો નાશ કરનાર છે તથા મહાન ઉત્કૃષ્ટ અને જ્ઞાનમય છે; માટે મુમુક્ષુઓએ તેના વિષયમાં જ પૂછવું, તેની પ્રાપ્તિની અભિલાષા કરવી તથા તેનો અનુભવ કરવો.’’

વળી શ્રી અમિતગતિ આચાર્યકૃત ‘યોગસાર’માં કહ્યું છે કેઃ

‘‘જે પુરુષ વિદ્વાન છે તેને તે આત્મપદાર્થનું નિશ્ચલ મનથી અધ્યયન કરવું યોગ્ય છે; તે ધ્યાન કરવા યોગ્ય, આરાધના કરવા યોગ્ય, પૂછવા યોગ્ય, સાંભળવા યોગ્ય, અભ્યાસ યોગ્ય, ઉપાર્જન કરવા યોગ્ય, જાણવા યોગ્ય, કહેવા યોગ્ય, પ્રાર્થના યોગ્ય, શિક્ષાયોગ્ય, દેખવા યોગ્ય અને સ્પર્શવા યોગ્ય છે, કારણ કે તેમ કરવાથી આત્મા સદા સ્થિરપણાને પામે છે.’’ ૫૩

વાણીશરીરથી ભિન્ન આત્માનો અસંભવ હોવાથી તેને વિષે બોલવું (પૃચ્છા કરવી) ઇત્યાદિ યોગ્ય નથીએમ બોલનાર પ્રતિ કહે છેઃ

શ્લોક ૫૪

અન્વયાર્થ :(वाक्शरीरयोः भ्रान्तः) વચન અને શરીરમાં જેને આત્મભ્રાન્તિ છે તેવો બહિરાત્મા, (वाचि शरीरे च) વચન અને શરીરમાં (आत्मानं संधत्ते) આત્માનું આરોપણ કરે છે અર્થાત્ વચન અને શરીરને આત્મા માને છે; (पुनः) પરંતુ (अभ्रान्तः) વચન અને ૧. જુઓઇષ્ટોપદેશશ્લોક ૪૯

अविद्याभिदूरं ज्योतिः परं ज्ञानमयं महत्
तत्प्रष्टव्यं तदेष्टव्यं तद् दृष्टव्यं मुमुक्षुभिः ।।४९।।

२. अध्येतव्यं स्तिमितमनसा ध्येयमाराधनीयं

पृच्छयं श्रव्यं भवति विदुषाभ्यस्यमावर्जनीयम्
वेद्यं गद्यं किमपि तदिह प्रार्थनीयं विनेयं,
दृश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वम्
।।४९।। [શ્રી અમિતગતિ આચાર્યકૃત યોગસારશ્લોક ૪૯]
વચ-કાયે જીવ માનતો, વચ-તનમાં જે ભ્રાન્ત;
તત્ત્વ પૃથક્ છે તેમનુંજાણે જીવ નિર્ભ્રાન્ત. ૫૪.